શહેરમાં તૂટેલાં રોડ, પાણીની ટાંકીઓમાં ક્ષતિ સહિતની સ્થિતિ મ્યુનિ. કમિશનરની મુલાકાતમાં પકડાતા બે ઈજનેેરને તેમનું એક ઈન્ક્રિમેન્ટ કાપવા ઉપરાંત કારણદર્શક નોટિસ અપાઈ છે. અન્ય બે ઇજનેરોને શો કોઝ પાઠવી છે. મ્યુનિ. કમિશનરે કામની સ્થિતિની સમીક્ષા કરતાં હોય ત્યારે મોટાભાગના અધિકારી એવું કહેતા હોય છે કે, બધા કામ યોગ્ય રીતે ચાલે છે.
મ્યુનિ. કમિશનરે ગુરુવારે બહેરામપુરાની મુલાકાત લીધી હતી. જેમાં એમ.વી. શેખ અને ભાવેશ પટેલ નામના બે ઇજનેરનું એક ઇન્ક્રિમેન્ટ રોકી કારણદર્શક નોટિસ અપાઈ છે. બહેરામપુરના એ.સી.ને કારણદર્શક નોટિસ આપી છે. બોડકદેવના ઈજનેર નીતિબેન ગજ્જરને પણ શો કોઝ અપાઈ છે.
સિંધુ ભવન રોડ પર બ્લોકની કામગીરી યોગ્ય ન હતી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.