કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 29મી ઓકટોબરે ગુજરાતના સુરત ખાતે આવશે. તેઓ સુરતની સેશન કોર્ટમાં શુક્રવારે બપોરે હાજર રહેશે. પછી સાંજે 5 કલાકે દિલ્હી જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ ચૂંટણી વખતે મોદી અટક બાબતે ટીપ્પણી કરી હતી. આ ટીપ્પણીને લઇને તેમની સામે બદનક્ષીનો કેસ સુરતના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદીએ કર્યો હતો.
રાહુલ લાભ પાંચમ પછી 3 દિવસ ગુજરાતમાં રોકાશે
કોંગ્રેસ નેતાઓને દિશાસૂચન કરવા લાભ પાંચમ પછી ત્રિદિવસીય ચિંતન શિબિર યોજશે. આ શિબિરમાં રાહુલ ગાંધી સતત 3 દિવસ ગુજરાત રોકાશે તેમ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ચાવડાએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.