ગુજરાત સરકારે તોઉ-તે વાવાઝોડા સામે લડવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, એકબાજુ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે આ વાવાઝોડાને કારણે કોરોનાના દર્દીઓ સહિત ગુજરાતની પ્રજાને તકલીફ ના પડે તે માટે સરકારે તખ્તો ઘડી નાખ્યો છે.
કોરોના દર્દીઓ માટે ગ્રીન કોરિડોર
ટેકનોલોજીની મદદથી સુરક્ષા દળો વચ્ચે સંકલન વધારાયું
જિલ્લા સ્તરે કંટ્રોલ રૂમ તૈયાર કરાયા. સુરક્ષા દળો વચ્ચે સંકલન વધારવા સેટેલાઈટ ફોન અને હેમ રેડિયો સહિતની વ્યવસ્થા પણ કરાઈ, જેથી તેમની વચ્ચેનો સંપર્ક સતત જળવાઈ રહે. આ ઉપરાંત એનડીઆરએફની 44 અને એસડીઆરએફની 10 ટીમ સાથે પોલીસ ફાયર ટીમો પણ તહેનાત કરાઈ છે.
ઝીરો કેઝ્યુઆલિટી માટે દિલ્હીથી ગુજરાત સુધી નેતાઓ સક્રિય
840 ગામમાંથી 2 લાખનું સ્થળાંતર
17 જિલ્લાના 840 ગામોમાંથી 2 લાખ અસરગ્રસ્તોનું સ્થળાંતર કરાયું. પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગરમાં સૌથી વધુ સવા લાખનું સ્થળાંતર કરીને તેમને 930 શેલ્ટર હોમમાં મોકલાયા. સમુદ્રમાંથી 19811 માછીમારને પાછા બોલાવાયા, જ્યારે 11 હજારથી વધુ અગરિયાને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા.
રાહત અને બચાવ કાર્ય માટે રેપિડ રિસ્ટોરેશન રિસ્પોન્સ ટીમ તહેનાત
વીજ પુરવઠા સહિતની સુવિધા જળવાઈ રહે માટે રેપિડ રિસ્ટોરેશન ટીમો ખડેપગે રખાઈ છે, જેમાં 661 વીજ ટીમ, 287 માર્ગ-મકાન વિભાગ ટીમ, 276 વન વિભાગ ટીમ અને મહેસૂલ વિભાગની 367 ટીમ સામેલ છે. વરસાદી પાણીના નિકાલ માટે 492 ડી-વૉટરિંગ પંપ તૈયાર રખાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.