જો કોઇ કરદાતા જીએસટી નંબર લેવા માટે અરજી કરે તો જીએસટી કાયદા 25 મુજબ જરૂરી દસ્તાવેજ આપ્યા હોવા છતાં પણ અધિકારીઓ પોતાની ઈચ્છા મુજબ દસ્તાવેજ માગે છે. આ અંગે ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશને અનેક વખત રજૂઆત કરવા છતાં સ્ટેટ જીએસટી કમિશનરે નવા કરદાતાને મુશ્કેલી અંગે કોઇ નિર્ણય ન લેતા હવે વિવિધ એસોસિએશને સરકારમાં રજૂઆત કરી છે.
ભાડાની જગ્યા હોય તો મકાન માલિકના પાન, નંબર આધાર કાર્ડ અને જો જગ્યા પોતાની માલિકીની હોય તો જગ્યાનો ફોટો, માલિક હોવાના પુરાવા, ભાડાનો દસ્તાવેજ, પોલીસને જાણ કરી હોવાના દસ્તાવેજ માગે છે. કોઇ કરદાતાએ જીએસટી નંબર લેવા સીએ કે વકીલની મદદ લીધી હોય તો તેમના નામ, સરનામા, આધાર કાર્ડ, પાન કાર્ડ તેમજ મેમ્બરશીપ નંબર માગવામાં આવે છે. આ ઉપરાંત કરદાતાના સ્થળની મુલાકાત લઇને અધિકારીઓ કઇ રીતે ધંધો કરશો, મૂડી ક્યાંથી લાવશો જેવા સવાલો પૂછે છે.
આ દસ્તાવેજ જરૂરી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.