તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાતનાં ચાર મહાનગરમાં હાલ રાત્રિ કર્ફ્યૂ છે, જેને યથાવત રાખવાનો નિર્ણય કરાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી હતી કે, રાજ્યના મહાનગરોમાં વીક એન્ડમાં દિવસે કર્ફ્યૂ લાદવાનો હાલ કોઈ વિચાર નથી. તેમણે કારણ આપતા કહ્યું હતું કે, રાજ્યમાં ગરીબો અને મધ્યમ વર્ગનું પણ વિચારવું પડે. નાના લોકોના ધંધાનું પણ વિચારવાનું હોય છે માટે આવી કોઇ અફવામાં તમારે ના આવવું જોઇએ.
ચારેય શહેરમાં કર્ફ્યૂ લાદવાની વાતને અફવા ગણાવી
રાજ્યમાં કોરોનાની વણસતી સ્થિતિને જોતાં સરકાર અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ અને સુરતમાં શનિ-રવિમાં દિવસનો કર્ફ્યૂ લાદવા વિચારી રહી હોવાની વાતને અફવા ગણાવી હતી. કોરોના સંક્રમણ વધશે તો ચારેય મહાનગરમાં શનિવાર અને રવિવારના દિવસે એટલે કે સપ્તાહના અંતે દિવસનો કર્ફ્યૂ અમલી બનાવાશે તેવી વાતને તેમણે અફવા ગણાવી હતી.
અમદાવાદ સહિત મહાનગરોમાં 55 હજાર કોરોનાનાં બેડ છે, એમાંથી 45,000 ખાલી- રૂપાણી
મુખ્યમંત્રીએ અગાઉ વડાપ્રધાન સાથેની કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અમદાવાદ સહિત અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યા વધારીને 55,000 કરાઇ છે, એમાંના 82 ટકા એટલે 45 હજાર બેડ ખાલી છે. કોવિડ પ્રભાવિત વિસ્તારોમાં સારવાર માટે ધન્વંતરી રથની સંખ્યા વધારીને 1700 કરાઇ છે. અમદાવાદ શહેરમાં 125થી વધુ કિયોસ્ક અને 74 અર્બન હેલ્થ સેન્ટરમાં સતત કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેમાં અત્યારસુધીમાં અંદાજે 11 લાખ ટેસ્ટ થયા છે, જ્યારે રાજ્યમાં રોજના 70 હજાર આસપાસ ટેસ્ટ થઇ રહ્યા છે. લગ્નો અને જાહેર સમારોહમાં પણ લોકોની સંખ્યા મર્યાદા 200થી ઘટાડીને 100 કરવામાં આવી છે.
મોદીએ વિડિયો-કોન્ફરન્સિંગથી વાતચીત કરી
દેશમાં જ્યાં કોરોના સંક્રમણના સૌથી વધુ પ્રમાણમાં નવા કેસો નોંધાઇ રહ્યા છે તથા એક્ટિવ દર્દીઓ એટલે કે સાજા ન થયા હોય તેવા દર્દીઓનું પ્રમાણ ખૂબ વધી રહ્યું હોય તેવાં આઠ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થિતિની સમીક્ષા કરવા વિડિયો-કોન્ફરન્સિંગથી વાતચીત કરી હતી, જેમાં મુખ્યમંત્રીએ ગુજરાતમાં સંક્રમણની સ્થિતિ કાબૂમાં હોવાનું જણાવ્યું હતું. આ કોન્ફરન્સ બાદ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ બેઠકમાં ભાગ લેનારાં આઠેય રાજ્યોમાં ગુજરાત નવા કેસો અને એક્ટિવ કેસોના મામલે સૌથી ઓછા આંકડા ધરાવે છે.
કોરોના નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી રાત્રિ કર્ફ્યૂ
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે ત્વરિત પગલાં ભર્યાં છે, જેના ભાગરૂપે કોરોનાના કેસ વધવાની સાથે સૌથી પહેલા અમદાવાદ શહેરમાં વીકએન્ડ કર્ફ્યૂનો અમલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રે 9થી સવારે 6 સુધી નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે, જે પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે. રાજ્યમાં લગ્નો અને જાહેર સમારોહમાં પણ સંખ્યા 200થી ઘટાડીને 100 કરવામાં આવી છે, જ્યારે અંતિમવિધિમાં 50 લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે.
રાજ્યમાં 55 હજાર આઈસોલેશન બેડ ઉપલબ્ધ
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યા વધારવામાં આવી છે. હાલમાં લગભગ 55 હજાર આઈસોલેશન બેડ ઉપલબ્ધ છે, જેમાં 82 ટકા એટલે કે લગભગ 45 હજાર બેડ ખાલી છે. કોવિડના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા માટે 108ની એમ્બ્યુલન્સ સેવા વધુ પ્રભાવી બનાવવામાં આવી છે, જેથી કરીને કોરોના સંક્રમિત દર્દીઓને યોગ્ય હોસ્પિટલમાં કોરોનાની સારવાર મળી રહે. આ ઉપરાંત 104 હેલ્પલાઈન દ્વારા લોકોને ઘરે બેઠા કોવિડ સંબંધિત સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેનો અત્યારસુધીમાં 2 લાખ 78 હજારથી વધુ લોકોએ લાભ લીધો છે. બોન્ડ ધરાવતા ડોક્ટરોને એપિડેમિક એક્ટ અંતર્ગત તાત્કાલિક હાજર થવા જણાવાયું છે. જનરલ સર્વેલન્સ અને કમ્યુનિટી સર્વેલન્સ ટીમોની સંખ્યા મોટા પ્રમાણમાં વધારવામાં આવી છે.
ધનવંતરી રથની સંખ્યા વધારાઈ
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કોવિડ પ્રભાવિત વિસ્તારોમાં સારવાર માટે 1100 ધનવંતરી રથ કાર્યરત હતા, જેની સંખ્યા વધારીને 1700 કરવામાં આવી છે. આ રથ દ્વારા ડોર સ્ટેપ ઓપીડી ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જે ખૂબ લોકપ્રિય બની છે. આ સેવાનો અત્યારસુધીમાં 1.52 લાખ લોકોએ લાભ લીધો છે, જેમાં શરદી, ઉધરસ સહિત વિવિધ રોગોના દર્દીઓ સામેલ છે.
રાજ્યમાં RT-PCR ટેસ્ટિંગ અને એન્ટિજન ટેસ્ટિંગ વધાર્યું
તેમણે આગળ કહ્યું હતું કે ગુજરાત સરકારે રાજ્યમાં RT-PCR ટેસ્ટિંગ અને એન્ટિજન ટેસ્ટિંગનું પ્રમાણ મોટી માત્રામાં વધાર્યું છે, જે અંતર્ગત આવતીકાલે લગભગ 70 હજાર ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓ માટે સંજીવની કોરોના ઘર સેવા - હોમ આઈસોલેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ 700 સંજીવની રથના માધ્યમથી દૈનિક 3 હજાર કોલ્સ પર સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે, જેમાં ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓની દૈનિક દેખભાળ કરીને તેમનો ઘરે બેઠા સારવાર આપે છે, જ્યારે કોરોના સંક્રમિત ગંભીર દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવે છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અમદાવાદ શહેરમાં 125થી વધારે કિયોસ્ક અને 74 અર્બન હેલ્થ સેન્ટરમાં સતત કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત હાઈવે, રેલવે સ્ટેશન, કોમર્શિયલ બિલ્ડિંગો જેવાં સ્થળોએ પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અત્યારસુધીમાં અંદાજે 11 લાખ ટેસ્ટ વિવિધ સ્થળોએ કરવામાં આવ્યા છે.
18 હજારથી વધુ વરિષ્ઠ નાગરિકોએ વડીલ સુખાકારી સેવાનો લાભ લીધો
તેમણે ઉમેર્યું હતું કે અમદાવાદ શહેરના વરિષ્ઠ નાગરિકોને કોવિડથી બચાવવા અને તેમને યોગ્ય ઈલાજ માટે વડીલ સુખાકારી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવા અંતર્ગત વડીલોના સ્વાસ્થ્યની નિયમિત તપાસ કરીને દવાઓ આપવામાં આવે છે. આ સેવાનો અત્યારસુધીમાં 18 હજારથી વધુ વરિષ્ઠ નાગરિકોએ લાભ લીધો છે, એટલે કે ગુજરાત સરકાર રાજ્યમાં કોરોનાનું સંક્રમણને રોકવા અને કોરોના સંક્રમિત દર્દીઓને સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ કરાવવા સતત પ્રયત્નશીલ છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.