તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હોમગાર્ડ વિભાગ અને ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન તથા ગુજરાત લાઇવલીહૂડ મિશન વચ્ચે એમ.ઓ.યુ.થયા હોવાનું ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્યના હોમગાર્ડ્ઝ, ગ્રામરક્ષક દળ, સાગરરક્ષક દળ અને સિવિલ ડિફેન્સના 93 હજાર જવાનો તથા તેમના પરિવારજનોને રોજગારલક્ષી તાલીમ આપવા માટે એમઓયુ કરવામાં આવ્યા છે.
રાજ્યની સિકયોરિટી અને ડિટેક્ટિવ એજન્સીઓના કર્મચારીને હોમગાર્ડ તાલીમ કેન્દ્ર ખાતેથી તાલીમ મળશે, તેમ ગૃહ રાજયમંત્રીએ જણાવ્યું હતું. તેમણે લખતર,કાલોલ,સુરેન્દ્રનગર અને ગોઝારિયા ખાતે નવનિર્મિત હોમગાર્ડ્ઝ કચેરીનું મુખ્ય કચેરીથી ઇ-લોકાર્પણ કર્યું હતું. તેમણે કોરોનાકાળ દરમિયાન હોમગાર્ડ્ઝ જવાનોની ફરજનિષ્ઠાને બિરદાવી હતી.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.