તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભવની ભવાઈ અને મિર્ચ મસાલા જેવી અનેક ફિલ્મોમાં આર્ટ ડિરેક્શનમાં જેમની મહત્વની ભૂમિકા હતી તેવાં મીરા લાખિયાનું શનિવારે સવારે અમદાવાદ નિવાસસ્થાને નિધન થયું છે. મીરા લાખિયાએ કારકિર્દીની શરૂઆત મુંબઈથી કરી હતી અને પછી અમદાવાદ શિફ્ટ થયા હતાં. રૂરલ ડેવલપમેન્ટને લગતા પ્રોગ્રામમાં આર્ટ ડિરેક્શનમાં તેમનું યોગદાન પણ હંમેશા યાદ રહેશે.
નાટ્યકાર નિસર્ગ ત્રિવેદીએ કહ્યું કે, ‘હજારો એવા એપિસોડ હશે જેમાં મીરા લાખિયાનો સેટ ડિઝાઈનને લઈને મહત્વનો રોલ રહ્યો છે. માયાળું વ્યક્તિત્વ અને કામમાં સ્ફૂર્તિ તે તેમની ઓળખ રહી છે. હંમેશા પ્રયોગશીલ રહેવું અને તેમ છતાં જે તે દેશ કે રાજ્યની સંસ્કૃતિ જળવાય તેવું કામ કરવું તે તેમના સ્વભાવમાં હતું. ડિરેક્ટર સંદિપ પટેલે કહ્યું કે, ‘માત્ર ઈસરો કે દેશ લેવલે જ નહીં ઈન્ટરનેશનલ કક્ષાએ પણ મીરા લાખિયા બહુ મોટું નામ હતું.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.