તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોકડાઉનનો 3જો તબક્કો ચાલી રહ્યો છે. સામાન્ય પ્રજા તો અમદાવાદમાં છેલ્લા બુધવારે અચાનક સંપૂર્ણ લોકડાઉનનો આદેશ થતાં રોડ પર આવી ગયા હતા. ખરીદી માટે ઉમટેલા લોકોની વ્યથા તો દબાઈ ગઈ છે. પરંતું સત્તાધારી પક્ષ ભાજપ સાથે સંકળાયેલા નેતાઓ અને કાર્યકરો પણ હવે પોતાની હૈયાવરાળ કાઢી રહ્યા છે. ભાજપ સાથે ભાઈપુરા વોર્ડમાં 30 વર્ષથી સંકળાયેલા અનુસૂચિત જાતિના કોષાધ્યક્ષે પણ એક વીડિયોના માધ્યમથી ભાજપના નેતાઓને સત્યથી રૂબરૂ કરાવ્યા હતા.
ઘર ચલાવવામાં ફાંફા થતાં વીડિયો મારફત વ્યથા ઠાલવી
અમરાઈવાડી વિધાનસભા વિસ્તારમાં આવેલા ભાઈપુરા વોર્ડમાંથી અનુસુચિત જાતિના કોષાધ્યક્ષ કલાભાઈ વઢિયારી ભાજપમાં છેલ્લા 30 વર્ષથી વિવિધ વિવિધ હોદ્દા પર રહીને સેવા આપી ચુક્યા છે. હાલ લોકડાઉનને પગલે તેઓને અત્યારે ઘર ચલાવવામા ખુબ જ તકલીફ પડી રહી છે. જોકે, તેઓઓ સ્વમાનના ભોગે કોઇ જ વ્યક્તિ, સંસ્થા કે પક્ષ પાસે કોઇપણ પ્રકારની મદદ માંગી સકતા નથી. તેમની ધીરજનો અંત આવતા તેમણે વીડિયો મારફત પોતાની હૈયાવરાળ ભાજપના નેતાઓને સત્યથી વાકેફ કરવા પોતાની વ્યથા ઠાલવી હતી.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.