તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાતમાં કોરોનાને કારણે વણસેલી સ્થિતિનેે પરિણામે રાજકોટ, સુરત જેવાં શહેરોની હોસ્પિટલોમાં કોરોનાથી મૃત્યુ પામનારનો મૃતદેહ મેળવવા માટે પણ સ્વજનોને 12 કલાક સુધી રાહ જોવી પડે એવી સ્થિતિ છે. એટલું જ નહીં, ડેડબોડી મળ્યા પછી પણ સ્મશાનમાં અગ્નિદાહ માટે 8થી 10 કલાક વેઇટિંગ કરવું પડે છે. રાજકોટમાં જ્યારે દિવ્યભાસ્કરની ટીમે ગ્રાઉન્ડ રિયાલિટી ચકાસી ત્યારે ચોંકાવનારી બાબતો સામે આવી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મરણાંક વધવાથી મૃતદેહોને અગ્નિસંસ્કાર માટે જ નહીં, પણ મૃતદેહોને બહાર લાવવા માટે પણ વેઈટિંગ છે. ભાસ્કરની ટીમ સિવિલ કોવિડ હોસ્પિટલ પહોંચી ત્યારે હોસ્પિટલના ગેટ પાસે ટેસ્ટ થઇ રહ્યા હતા, જ્યારે હોસ્પિટલની પાછળ સેલરમાંથી મૃતદેહો કાઢીને એમ્બ્યુલન્સમાં સીધા સ્મશાનગૃહ લઈ જવાતા હતા. સ્મશાનમાં કતાર થાય નહીં એ માટે હોસ્પિટલોમાં ડેડબોડી મૂકી રાખવામાં આવે છે.
સુરતઃ કોરોનાગ્રસ્ત પુત્રીની ચિંતામાં માતાનું મૃત્યું થયું, દીકરી પણ ગંભીર
સુરતની હોસ્પિટલો, સ્મશાનની બહાર મૃતદેહોના ખડકલા જોવા મળે છે. મંગળવારે કોરોનાગ્રસ્ત પુત્રીની ચિંતામાં માતાએ અન્નત્યાગ કર્યા બાદ તેમનું મૃત્યુ થયું હતું. વૃદ્ધાની બીજી દીકરી એક તરફ માતાના અંતિમસંસ્કાર માટે દોડાદોડ કરતી હતી તો સાથે સ્મિમેર હોસ્પિટલમાં ગંભીર હાલત ધરાવતી પોતાની બહેન માટે ચિંતાતુર હતી.
વડોદરાઃ એમ્બ્યુલન્સ મળી નહીં તો હાથલારીમાં મૃતદેહ લઈ જવો પડ્યો
વડોદરાના નાગરવાડા વિસ્તારમાં 65 વર્ષીય વૃદ્ધાનું કોરોનાથી મોત નીપજતાં તેમના મૃતદેહને સ્મશાને લઇ જવા માટે એમ્બ્યુલન્સ ન મળતાં મૃતદેહ હાથલારીમાં લઈ જવો પડયો હતો. મહિલાનું હોમ ક્વોરન્ટીન દરમિયાન મૃત્યું થયું હતું. બે-ત્રણ કલાક સુધી પ્રયાસ કરવા છતાં પણ એમ્બ્યુલન્સ મળી શકી નહોતી.
રાજકોટઃ પિતાનું મોં જોવા માટે પુત્રીએ રોક્કળ કરી તો માત્ર 2 મિનિટ મળી
એક પરિવાર સ્વજનના મૃતદેહની રાહ જોઈ રહ્યો હતો. લાશ આવતાં જ મહિલાઓ કલ્પાંત કરવા લાગી હતી. મૃતકની પુત્રી સ્ટ્રેચર સુધી જતી હતી, પણ સ્ટાફે સંક્રમણ ન ફેલાય એ માટે દૂર લઈ ગયા તો રડતાં રડતાં કહેવા લાગી હજુ થોડીવાર મને મારા પપ્પાને જોવા દો આ સ્થળથી 200 મીટર દૂર આવા અનેક પરિવાર રાહ જોઇ રહ્યા હતા.
ભરૂચઃ નર્મદા કાંઠે મૃતદેહોની લાઇન લાગી, કોવિડ સ્મશાન નાનું પડ્યું
ભરૂચમાં નર્મદા નદી કિનારે બનાવાયેલા કોવિડ સ્પેશિયલ સ્મશાનગૃહમાં બુધવારે વહેલી સવારથી બપોરે 2 સુધીમાં 6 મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. એકસાથે મૃતદેહો આવી જતાં મૃતદેહોને લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો. અંતિમક્રિયા માટે કોવિડ સ્મશાનગૃહ પણ નાનું પડી રહ્યું છે.
સુરતમાં દરરોજ સરેરાશ 240 મોત, સ્મશાનમાં 8-10 કલાકનું વેઇટિંગ
અમદાવાદ
સુરત
વડોદરા
રાજકોટ
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.