તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કોરોનામાં કરદાતાને મદદરૂપ થવા રૂ. 1.40 લાખ કરોડના રિફંડ આપ્યાં છે. જેમાં શહેરના 12 હજાર કરદાતાને 18 હજાર કરોડના રિફંડ અપાયા છે. બાકી રહેલા કરદાતાને મોબાઈલ-ઈમેઈલથી જાણ કરાઈ છે.
સીબીડીટીએ 1 એપ્રિલ-20 સુધીમાં રૂ. 1.40 લાખ કરોડના રિફંડ કરદાતાને આપ્યા છે. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે બહાર પાડી યાદી મુજબ 69,68 લાખ કરદાતાને 1.40 લાખ કરોડ રકમ 2017-18 અને 18-19ના વર્ષના કરદાતાઓ દ્વારા ફાઇલ કરેલા રિટર્નની માગેલી અરજીનો નિકાલ કર્યો છે. જે સરકારે જાહેર કરેલા આત્મનિર્ભર પેકેજના 10 ટકા જેટલી થવા જાય છે. આમ કોરોનાના સમયમાં ઇન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટે કાર્ય ચાલુ રાખીને કરદાતાઓને આ સમયમાં મદદરૂપ થવા આપવાની થતી મળવાપાત્ર રકમ તાત્કાલિક છૂટી કરી છે.
ઘણાં બધાં કરદાતાઓ કે જેમણે પોતાના રિટર્ન યોગ્ય રીતે ફાઇલ ન કર્યા હોય કે બેન્ક એકાઉન્ટની યોગ્ય માહિતી ન આપી હોય તેવા કરદાતાઓને ઇન્કમટેક્સે મોબાઇલ તેમજ ઇ-મેઇલ પર મેસેજ કરી તેને ઓનલાઇન સબમિટ કરવા જણાવાયું છે. જેથી આવા કરદાતાઓને મળવા પાત્ર રકમ તાત્કાલિક ધોરણ છૂટી કરી શકાય.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.