તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાજપના ગઢ ગણાતા ઘાટલોડિયા, નવાવાડજ, વસ્ત્રાલ સહિત અનેક વિસ્તારોમાં 2015માં થયેલા મતદાન કરતાં 2021માં 10 ટકા સુધી ઓછું મતદાન થયું છે. ખાડિયા, દરિયાપુર, બાપુનગર, મક્તમપુરા જેવા વિસ્તારમાં મતદાનમાં સામાન્ય વધારો નોંધાયો હતો. શહેરમાં મતદાનની ટકાવારી ધ્યાને લેતા અનેક વિસ્તારમાં લોકોએ મતદાન નહીં કરીને તેમની નારાજગી અથવા તો ઉદાસીનતા દર્શાવી છે. જેમાં વિશેષ કરીને પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં નિરસ મતદાન જોવા મળ્યું હતું.
એલિસબ્રિજમાં 5 હજાર પેજ પ્રમુખ, પાલડીમાં 33 હજાર મત પડ્યા
ભાજપે એલિસબ્રિજમાં 5 હજાર પેજ પ્રમુખ બનાવ્યા હતા પરંતુ પાલડીમાં માંડ 33 મત પડ્યા હતા. એક પેજ પ્રમુખને મતદારના એક પેજના 22 મતદારના સંકલનની જવાબદારી હતી પણ નેતાની ઉદાસીનતાથી મતદાન ન કરાવી શક્યા.
આ વિસ્તારોમાં 2015ની સરખામણીએ મતદાન ઘટ્યું
વિસ્તાર | કેટલા ટકા મતદાન ઘટ્યું |
નવાવાડજ | 10 |
વસ્ત્રાલ | 10.08 |
ઘાટલોડિયા | 9.48 |
નરોડા | 8.88 |
નારણપુરા | 9 |
ચાંદલોડિયા | 8.16 |
ચાંદખેડા | 8.06 |
દાણીલીમડા | 8.04 |
નવરંગપુરા | 7.99 |
ગોતા | 7.34 |
આ વિસ્તારોમાં 2015ની સરખામણીએ મતદાન વધ્યું
બાપુનગર | 3.23 |
દરિયાપુર | 1.9 |
મક્તમપુરા | 1.07 |
ખાડિયા | 0.41 |
વિરાટનગર | 0 |
કુબેરનગર | 0.22 |
ઇન્ડિયા કોલોની | 0.04 |
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.