કોરોના ગુજરાત LIVE:આઠ દિવસ પછી એકેય મોત નહીં, પણ નવા કેસ રોકેટગતિએ ઉછળીને 5677; અમદાવાદમાં 14 મે પછી પહેલીવાર 2567 પોઝિટિવ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં આજે ઓમિક્રોનના 32 નવા કેસ નોંધાયા, કુલ કેસનો આંક 236 થયો

રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. ગુજરાતમાં સતત બીજા દિવસે 5000થી વધુ કેસ આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 5677 નવા કેસ નોંધાયા છે, જ્યારે 1356 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં આજે એકપણ દર્દીનું કોરોનાથી મોત નોંધાયું નથી. જેમાં અમદાવાદમાં આજે પણ સૌથી વધુ 2567 કેસ જ્યારે સુરતમાં 1661 કેસ આવ્યા છે. આમ કુલ નોંધાયેલા 5677 કેસમાંથી 4228 કેસ એટલે કે 75 ટકા કેસ માત્ર બે જિલ્લામાં છે. જ્યારે ઓમિક્રોન વેરિયન્ટના પણ નવા 32 કેસ આજે નોંધાયા છે.

22901 એક્ટિવ કેસ અને 25 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં ગઈકાલ સુધીમાં 8 લાખ 55 હજાર 929ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 128 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 22 હજાર 900 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 22901 એક્ટિવ કેસ છે, જેમાંથી 25 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 22876 દર્દીની હાલત સ્થિર છે.

ઓમિક્રોનના 32 નવા કેસ
ગુજરાતમાં આજે ઓમિક્રોનના 32 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 12, આણંદ અને વડોદરા શહેરમાં 5, મહેસાણામાં 3, ભરૂચમાં 2 તથા રાજકોટ, બનાસકાંઠા, કચ્છ, અમદાવાદ જિલ્લો અને અમરેલીમાં 1-1 કેસ આવ્યા છે. જ્યારે આણંદ અને અમરેલીમાં 7-7 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 236 ઓમિક્રોનના કેસ આવ્યા જેમાંથી 167 દર્દી ડિસ્ચાર્જ થઈ ગયા છે.

રાજ્યમાં કોરોનાથી એકનું મોત
ગુજરાતમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જ કોરોનાના નવા કેસ તેમજ મોતની આંકડામાં વધારો નોંધાયો હતો. પરંતુ જાન્યુઆરી 2022થી તો કોરોના રોકેટની ગતિએ ગુજરાતમાં વધી રહ્યો છે, સાથે જ મોતના આંકડામાં પણ વધારો થયો છે. ગત 1 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધીમાં કોરોનાના કારણે 6 દર્દીઓના મોત થયા હતા. જ્યારે જાન્યુઆરી મહિનાના માત્ર 7 જ દિવસમાં કોરોનાના કારણે 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં 7 જાન્યુઆરીએ સુરત જિલ્લામાં એક દર્દીનું મોત નોંધાયું હતું.

આ પહેલા 5 જાન્યુઆરીએ અમરેલીમાં અને આજે 6 જાન્યુઆરીએ તાપી જિલ્લામાં કોરોનાથી એકનું મોત નોંધાયું હતું. જ્યારે 4 જાન્યુઆરીએ ભાવનગર અને નવસારી જિલ્લામાં 1-1 મળી કુલ 2 દર્દીના મોત થયાં હતા. એ અગાઉ 3 જાન્યુઆરીએ જામનગર શહેરમાં 2 અને નવસારી જિલ્લામાં 1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. તો 2 જાન્યુઆરીએ નવસારીમાં કોરોનાથી એકનું મોત નિપજ્યું હતું.

1 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ડિસેમ્બર45261
2 ડિસેમ્બર50241
3 ડિસેમ્બર45450
4 ડિસેમ્બર44360
5 ડિસેમ્બર48241
6 ડિસેમ્બર38370
7 ડિસેમ્બર61390
8 ડિસેમ્બર67220
9 ડિસેમ્બર69270
10 ડિસેમ્બર63393
11 ડિસેમ્બર71270
12 ડિસેમ્બર56320
13 ડિસેમ્બર58561
14 ડિસેમ્બર55481
15 ડિસેમ્બર53530
16 ડિસેમ્બર68430
17 ડિસેમ્બર60581
18 ડિસેમ્બર68740
19 ડિસેમ્બર51550
20 ડિસેમ્બર70631
21 ડિસેમ્બર87732
22 ડિસેમ્બર91412
23 ડિસેમ્બર111782
24 ડિસેમ્બર98693
25 ડિસેમ્બર179342
26 ડિસેમ્બર177660
27 ડિસેમ્બર204651
28 ડિસેમ્બર394591
29 ડિસેમ્બર548651
30 ડિસેમ્બર5731022
31 ડિસેમ્બર654630
1 જાન્યુઆરી10691031
2 જાન્યુઆરી9681411
3 જાન્યુઆરી12591513
4 જાન્યુઆરી22652402
5 જાન્યુઆરી33502361
6 જાન્યુઆરી42138301
7 જાન્યુઆરી53961,1581
8 જાન્યુઆરી56771,3590
કુલ આંક284535,76136

​​​​​​રાજ્યમાં કુલ 855,929 કેસ, 10,128 દર્દીના મોત અને 822,900 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ251,578237,4253,412
સુરત150,537142,8031,958
વડોદરા79,98678,098788
રાજકોટ59,51857,650732
જામનગર35,35934,646483
મહેસાણા24,60024,278177
ભાવનગર21,79321,195303
ગાંધીનગર21,36920,653205
જૂનાગઢ20,68620,348271
બનાસકાંઠા13,71513,486162
કચ્છ13,14512,673145
પંચમહાલ11,87211,70670
પાટણ11,63211,505129
ભરૂચ11,71011,356118
અમરેલી10,90610,737103
ખેડા11,00910,57949
દાહોદ10,0509,93838
આણંદ1,3799,75551
સાબરકાંઠા9,4239,172157
ગીર-સોમનાથ8,6448,52967
મહીસાગર8,2738,14672
સુરેન્દ્રનગર8,1847,992136
નવસારી7,5877,35330
મોરબી6,6736,44287
વલસાડ6,9966,47560
નર્મદા5,9715,94215
અરવલ્લી5,2335,11079
તાપી4,4944,43525
દેવભૂમિ દ્વારકા4,2524,10283
પોરબંદર3,5213,48121
છોટાઉદેપુર3,4033,35738
બોટાદ2,2192,17642
ડાંગ87384718
અન્ય રાજ્ય1621593
કુલ855,929822,90010,128
અન્ય સમાચારો પણ છે...