અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાર રસ્તા પર ભીખ માંગતા 15 વર્ષ સુધીના બાળકોને શિક્ષા મળે તેના માટે સિગ્નલ સ્કૂલ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સિગ્નલ સ્કૂલ શરૂ કરવા માટે થઈને મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા હંગામી ધોરણે શિક્ષકો અને સહાયકો સહિત કુલ 22 જગ્યાઓ ભરતી કરવામાં આવનાર છે. આજે પાલડી સ્કાઉટ ભવન ખાતે ભરતી માટે ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું.
11 વાગ્યાથી ઈન્ટરવ્યૂ માટે 9 વાગ્યાથી લાઈન લાગી
સવારે 11 વાગ્યાથી ઇન્ટરવ્યૂ શરૂ થવાનું પરંતુ 9 વાગ્યાથી લોકોની લાઈન લાગી હતી. આશરે 500 જેટલા લોકો ઇન્ટરવ્યૂ માટે લાઈનમાં લાગ્યા હતા. સ્કાઉટ ભવનથી બહાર રોડ પર પણ લાઈનો લાગી હતી. રૂ. 10,000 અને 15,000ની નોકરી માટે મોટી સંખ્યામાં લોકો આવતાં ચોક્ક્સપણે જણાય છે કે અમદાવાદમાં હજારો બેરોજગારો છે. માત્ર 10-15 હજારનો જ પગાર હોવા છતાં આટલી મોટી લાઈન શિક્ષકોની ભરતીમાં લાગી હતી.
બસને સ્કૂલમાં ફેરવાશે
'ભીક્ષા નહીં શિક્ષા' અંતર્ગત સિગ્નલ સ્કૂલ પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ તથા ગુજરાત સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરિટીની સંયુક્ત કામગીરીમાં પ્રોજેક્ટ શરૂ કરાશે. જેને ત્રણ ફેઝમાં કરવામાં આવશે. જેમાં 6થી 14 વર્ષના ભીખ માંગતા બાળકોને શિક્ષા તરફ વાળવામાં આવશે. વર્ગખંડને અનુરૂપ બસ તૈયાર કરીને તેમાં આ બાળકોને શિક્ષણ, પુસ્તકો, સ્કોલરશીપ જેવી યોજનાનો લાભ આપવામાં આવશે.
ફેઝ-1
ફેઝ-2
ફેઝ-3
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.