રોગચાળો વકર્યો:અમદાવાદ શહેરમાં અઠવાડિયામાં ઝાડા-ઉલ્ટીના 121 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું, ટાઇફોઇડના પણ કેસ વધ્યા

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે
  • શહેરના પશ્ચિમ અને કોટ વિસ્તારમાં પાણીજન્ય કેસોની સંખ્યા વધારે
  • બિનજરૂરી પાણી ભરાઈ ન રહે તે માટે લોકોને ધ્યાન રાખવા AMCની અપીલ

ચોમાસામાં વરસાદ પડતાની સાથે જ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગોની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગોમાં ખૂબ વધારો થયો છે. જેમાં ઓગસ્ટ મહિનામાં 7 સાત જ દિવસમાં ઝાડા-ઉલ્ટી, કમળો અને ટાઇફોઇડના કેસો વધ્યા છે. મચ્છરજન્ય રોગોમાં પણ સામાન્ય વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં પાણીજન્ય રોગો એવા ઝાડા-ઉલ્ટી, કમળ અને ટાઇફોઇડના કેસો વધુ અમદાવાદમાં ગોતા, જગતપુર ઉપરાંત કોટ અને મધ્ય ઝોનના વિસ્તારમાં સામે આવ્યા છે.

અઠવાડિયામાં પાણીજન્ય રોગોએ માથું ઉચક્યું
ચાલુ વર્ષે ઓગસ્ટ માસના પહેલા 7 દિવસ દરમિયાન પાણીજન્ય રોગોમાં ઝાડા- ઉલ્ટીના 121, કમળાના 28 અને ટાઈફોઈડના 68 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે મચ્છરજન્ય રોગોમાં સાદા મેલેરિયાના 15 કેસો, ઝેરી મેલેરિયાના 02, ડેન્ગ્યુના 16 અને ચિકનગુનિયાના 5 કેસો નોંધાયા છે. કોર્પોરેશન દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં 382 કન્સ્ટ્રક્શન સાઇટ ચેક કરી 170 સાઈટને નોટિસ આપી હતી. તેમજ રૂ. 4.98 લાખનો દંડ વસુલ કર્યો હતો. 158 એજ્યુકેશનલ એકમો ચેક કર્યા હતા. જ્યારે 248 જેટલા મોલ, મલ્ટીપ્લેક્સ અને કોમર્શિયલ એકમોને ચેક કરી 70 નોટિસ આપી હતી.

આ તસવીર પ્રતિકાત્મક છે.
આ તસવીર પ્રતિકાત્મક છે.

મચ્છરોના બ્રિડિંગ શોધવા કવાયત હાથ ધરાઈ
મચ્છરજન્ય રોગો અને તેમના બ્રિડિંગ શોધવા માટે કવાયત હાથ ધરાઇ હતી. જેમાં સૌથી વધુ કોમર્શિયલ એકમો, બંધ પડેલા એકમો અને ઇન્સ્ટીટ્યુટ જે અત્યારે બંધ છે તેમાં મચ્છર વધારે બ્રિડિંગ કરે છે. આ એકમોને સાફ સફાઈમાં ધ્યાન રાખવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. પૂર્વના વિસ્તારોમાં સાફ સફાઈની અને દૂષિત પાણીની પણ કેટલીક ફરિયાદો આવી રહી છે.

મચ્છરોના બ્રિડિંગ મળ્યા તેવા એકમોને નોટિસ અપાઈ
કોર્પોરેશન દ્વારા સૂચના આપવામાં આવી છે કે બિન જરૂરિયાત પાણી ન ભરાવા દે તે માટે પણ ધ્યાન આપવામાં આવે ખાસ કરીને બેજમેંટમાં પાણી ભરાય છે તે યોગ્ય રીતે નિકાલ કરે જેથી આવી જગ્યાઓ પર મચ્છર બ્રિડિંગના મૂકે. પાણીની ટાંકી ફિટ બંધ કરે જરૂરિયાતના હોય તો પાણી ભરીનેના રાખે તેવી પણ સૂચના આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા સર્વે કરાયા હતા જેમાં જે પણ જગ્યાઓ પર મચ્છરના બ્રિડિંગ જોવા મળ્યા હતા તેવા અનેક એકમોને નોટિસ આપવામાં આવી છે અને તેમણે દંડ પણ કરવામાં આવ્યો છે. હાલમાં પરિસ્થિતિ બગડે નહીં અને કોર્પોરેશન સમય રહેતા પગલાં લઈ રહી છે. સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા પણ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે જેથી ગંદકીના કારણે કોઈ પણ રોગો ફેલાય નહીં.