ગુજરાત હાઇકોર્ટના સિનિયર એડવોકેટ આઇ.એચ.સૈયદ સામે થયેલી ફરિયાદ રદ કરાવવા માટે હાઇકોર્ટમાં ક્વોશિંગ પિટિશન ફાઇલ કરવામાં આવી છે. સિનિયર એડવોકેટ સામે થલતેજના એક વેપારીને વિવાદ ઉકેલવા માટે બોલાવીને એગ્રીમેન્ટ ઉપર સહી કરવા માટે ધમકાવવાનો આરોપ લાગ્યો હતો. જે બાબતે પેથાપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. આ ફરિયાદ રદ કરવા અંગેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલે હાઇકોર્ટે એડવોકેટ સૈયદ સામે આકરા પગલાં ભરવા સામે હાલ પુરતા સ્ટે આપવાનો પણ ઇન્કાર કર્યો છે. મોટી વાત તો એ છે કે હાઇકોર્ટે ટકોર કરી છે કે ,‘એડવોકેટ હોય તો શું થયું! વકીલ પણ કાયદાથી ઉપર નથી હોતા.
આ મામલે પ્રાથમિક સુનાવણી બાદ હાઈકોર્ટે પ્રતિવાદીઓને નોટિસ પાઠવી છે. જે મામલે વધુ સુનાવણી 25 મેના રોજ હાથ ધરવામાં આવશે. એડવોકેટ સૈયદ તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, તેમની સામે કિન્નાખોરી રાખીને પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.