તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાને કારણે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની દેશભરમાં યોજાનારી 15મી પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત 19 ડિસેમ્બર સુધી લંબાવાઈ છે. રાજ્યના 500થી વધુ કાયદાના વિધાર્થી આ પરીક્ષા આપી શકશે.
બાર કાઉન્સિલના શિસ્ત સમિતિના ચેરમેન અનિલ કેલ્લા અને ભરત ભગતે જણાવ્યું કે, 15મી ઓલ ઈન્ડિયા બાર એક્ઝામ 24 જાન્યુઆરીએ યોજાવાની છે. જેનું ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત 3 ડિસેમ્બર હતી. પરંતુ કોરોના મહામારીના કારણે મોટાભાગની યુનિવર્સિટીએ પરીક્ષાના પરિણામ જાહેર કર્યાં નથી. આથી રાજ્યના 500 થી વધુ કાયદાના વિધાર્થી આ પરીક્ષા આપી શકે તેમ નહોતાં. આ અંગે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન મનન મિશ્રાને ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત વધારી આપવા માટે વિનંતી કરી હતી.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.