તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહારાષ્ટ્રમાં પ્રવેશ પહેલા દરેક લોકોને આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ ફરજિયાત સબમિટ કરાવવાના આદેશને પગલે ગુજરાતથી મહારાષ્ટ્ર જનારી મુંબઇ, પુના અને નાગપુરની ફ્લાઇટો 50થી 60 ટકા ખાલી જઇ રહી છે. કોરોના ટેસ્ટ ન કરાવવો પડે તે માટે લોકો ટ્રેન અને પ્રાઇવેટ વાહનોમાં મહારાષ્ટ્ર જઇ રહ્યાં છે.
મહારાષ્ટ્ર સરકારના નિર્ણયની અસર એરલાઇન્સ પર જોવા મળી રહી છે. શરૂઆતના તબક્કે જે ફ્લાઇટોમાં પેસેન્જર્સ યોગ્ય સંખ્યામાં મળતા હતા, ત્યાં મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને કારણે સંખ્યા ઘટી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, મહારાષ્ટ્રમાં એરપોર્ટ પર જ રિપોર્ટનું ચેકિંગ થાય છે. તેથી લોકો રિપોર્ટના ખર્ચ કરતાં પણ જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો? એ ડરને કારણે રિપોર્ટ કરાવવાનું ટાળી રહ્યાં છે. જેથી લોકો ફ્લાઇટની જગ્યાએ પ્રાઇવેટ વ્હિકલ લઇને મહારાષ્ટ્રમાં જઇ રહ્યાં છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, દિવાળીની માફક ક્રિસમસ પર એરલાઇન્સોને અપેક્ષા છે કે એરટ્રાફિક વધશે. દર વર્ષની સરખામણીએ 50 ટકા લોકો પણ ટ્રાવેલિંગનું પ્લાનિંગ કરશે તો એરટ્રાફિકને મોટી સંખ્યામાં પેસેન્જર મળશે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.