કરદાતાએ પોતાના રિટર્નમાં સ્વૈચ્છિક રીતે વર્ષ દરમિયાન થયેલી તમામ પ્રકારની આવક દર્શાવવી પડશે. હવે જો કરદાતા પોતાની આવક દર્શાવશે નહીં તો પણ તેની માહિતી એઆઇએસ એટલે કે એન્યુઅલ ઈન્કમ સોર્સમાં દેખાશે. સીબીડીટીના નવા પરિપત્ર મુજબ કરદાતાને રૂ.1નું વ્યાજ મળ્યું હોય તો પણ તેની માહિતી આપવી પડશે.
હવેથી બેન્કો, પોસ્ટ ઓફિસોએ ખાતેદારોને 1 રૂપિયાનું વ્યાજ આપ્યું હશે તો પણ તે વગત ઈન્કમટેક્સને આપવાની રહેશે. અત્યાર સુધી કેટલીક બેન્કો ખાતેદારોને મોટી રકમનું વ્યાજ મળ્યું હોય તો જ તેની માહિતી ઈન્કમટેક્સને પૂરી પાડતી હતી. પરંતુ સીબીડીટીના આ પરિપત્રને લઇને દેશની તમામ બેન્કો અને પોસ્ટ ઓફિસે ખાતેદારને ચૂકવવામાં આવતા તમામ વ્યાજની માહિતી ઈન્કમટેક્સને આપવી પડશે.
વ્યાજ નહીં દર્શાવનારાને આઈટીની નોટિસ મળશે
બેન્કો અને પોસ્ટ ઓફિસો ખાતેદારોએ કરેલા મોટી રકમના ઉપાડ, એફડીના વ્યાજ અને સેવિંગ એકાઉન્ટ પર મળતા વ્યાજની માહિતી સીબીડીટીને આપવાની રહેશે. જેથી કરદાતાએ ચોકસાઇ સાથે વર્ષ દરમિયાન મળેલા વ્યાજની વિગતો પણ રિટર્નમાં દર્શાવવી પડશે. નહીંતર તફાવતની નોટિસનો સામનો કરવો પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.