રાજ્યમાં અનેક સરકારી કર્મચારીઓ કેટલાક પડતર પ્રશ્નોને લઈને સરકારથી નારાજ છે, ત્યારે રાજ્યના ઈજનેરીના કોલેજના અધ્યાપકો પણ પડતર પ્રશ્નોનું નિવારણ ના આવતા 14 એપ્રિલથી સરકાર સામે અભિયાન ચલાવશે અને પોતાની માંગણીઓ પૂરી કરવા રજૂઆત કરશે.
અત્યારે તમામ સરકારી કર્મચારીઓની મુખ્ય માંગણી જૂની પેન્શન યોજના શરુ કરવાનો છે, ત્યારે ઈજનેરી કોલેજના અધ્યાપકોના મંડળ ગુજરાત રાજ્ય સરકારી ઈજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્યપત્રિત અધિકારી મંડળ પણ આ માંગણીને લઈને અભિયાન શરુ કરવાનું નક્કી કર્યું છે. જેમાં 14 એપ્રિલે બપોરે 2 થી 5 વાગ્યા સુધી #padatrprshno સાથે ટ્વીટર પર અભિયાન કરાશે.
આ સાથે જ 14 એપ્રિલનો દિવસ પેન્શન બંધારણ અધિકારી દિવસ તરીકે મનાવશે. 14 તારીખે અધ્યાપકો બાબાસાહેબ આંબેડકરના ફોટોને પુષ્પાંજલિ અર્પણ કરીને મંડળના સભ્યો સાથે પ્લે કાર્ડ બનાવી ફોટા પડાવશે. આ ઉપરાંત નવા કાર્યક્રમ પણ અગામી સમયમાં જાહેર કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.