તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધો.9થી 12ના વર્ગો શરૂ કર્યા બાદ સ્કૂલ સંચાલકોની માગ છે કે, ધો.6થી 8ના વર્ગો પણ હવે શરૂ કરાય. તેથી સરકારે આગામી દિવસોમાં ધો.6થી 8 શરૂ કરવાનો નિર્ણય લેવો જોઇએ.
માધ્યમિક અને ઉ.મા.સ્કૂલોની સાથે આગામી સમયમાં પ્રાથમિક વિભાગના ધોરણો શરૂ કરવા સંચાલકોએ માગ કરી છે. કોરોનાના ઘટતા કેસને કારણે આગામી સમયમાં પ્રાથમિક સ્કૂલોના ધો.6થી 8 શરૂ કરવાનો નિર્ણય જાહેર કરી શકે છે. આ મુદ્દે વાલી આગેવાન પ્રકાશ કાપડિયાએ જણાવ્યું કે, પ્રાથમિક સ્કૂલોના વર્ગો શરૂ કરવા માટે સરકારે કોઇ ઉતાવળ ન કરવી જોઇએ. કારણ કે હજુ કેસ પત્યા નથી, ઓછા થયા છે. આ સ્થિતિએ નાના બાળકોને સ્કૂલે આવવા દબાણ ન કરવું જોઇએ. જો ઓનલાઇન ક્લાસથી વાલી-વિદ્યાર્થી સંતુષ્ટ છે.
સ્કૂલોમાં વાલીઓની ઈન્કવાયરી વધી છે
વેદાંત સ્કૂલના સ્કૂલ સંચાલક ભરત સવાણીએ જણાવ્યું હતું કે, ધો.9-11 શરૂ કર્યા બાદ ધો.6થી 8 શરૂ કરવા મુદ્દે વાલીઓની ઇન્કવાયરી વધી છે. તેથી હવે ધીરે ધીરે પ્રાથમિક સ્કૂલોના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરવી જોઇએ.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.