મણિનગરમાં ગોરધનવાડી પાસે આવેલા 100 વર્ષ જૂના શિવ મંદિરને બિલ્ડરે તોડી પાડતા મોટો વિવાદ થયો છે. પોલીસને અરજી અપાતા પ્લોટ પર બંદોબસ્ત ગોઠવવો પડ્યો છે. ગોરધનવાડીમાં આવેલા એક ખાનગી પ્લોટમાં પૌરાણિક શિવ મંદિર તેમજ ગુફા હતી. પ્લોટ બાબતે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. સ્થાનિકો આ મંદિરમાં સેવા પૂજા કરતાં હતા. બિલ્ડરે આ પ્લોટ ખાલી કરવા માટે મંદિર તોડી પાડતા પોલીસમાં અરજી થઈ હતી.
પોલીસે બંને પક્ષોને બોલાવીને તેમના જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. બિલ્ડરે પ્લોટ તેની માલિકીનો હોવાથી તેમજ ત્યાં મંદિર દૂર કરવા કેટલાક રહીશો સાથે વાત કરી હોવાનો દાવો કર્યો હતો. અરજીદારોએ રજૂઆત કરી હતી કે, ગર્ભગૃહમાં રહેલા શિવલિંગને દૂર કરી શકાય નહીં. બિલ્ડરે ધાર્મિક ભાવના દુભાવવાનું કામ કર્યું હોવાથી તેની સામે ફોજદારી પગલાં લેવાવા જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.