તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ મ્યુનિ.ના 48 વોર્ડની 192 બેઠકો માટે કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારો પૈકી પાટીદાર સમાજના 34 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ઓબીસી અને એસસીના 45-45 તથા મુસ્લિમ સમાજના 24 ઉમેદવારોને પણ ટિકિટ આપી છે. આ વખતની ચૂંટણીમાં 16 વોર્ડમાં ચારેય બેઠકો સામાન્ય છે. જો કે, આ બેઠકો પર સામાન્ય કરતાં અન્ય જ્ઞાતિના મતદારોની સંખ્યા વધુ છે. મહદ્અંશે આ દરેક વોર્ડમાં 15 ટકાથી વધુ પછાત વર્ગના મતદારો છે.
જ્ઞાતિ મુજબના સમીકરણને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે અનામત રાખેલી એસસીની બેઠક ઉપરાંત પણ વધુ ઉમેદવારો આ જ્ઞાતિના મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ઓબીસીના પણ તેટલા જ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. જેની સામે ભાજપે પણ 45 ઓબીસીને ટિકિટ આપી છે. ભાજપે 46 પટેલોને ટિકિટ આપી છે. જ્યારે 14 બ્રાહ્મણ અને 12 વણિકનો સમાવેશ થાય છે. માલધારી સમાજના 6 ઉમેદવારને ભાજપે ટિકિટ આપી છે.
કોંગ્રેસના જ્ઞાતિવાર ઉમેદવારો
જ્ઞાતિ | સંખ્યા |
ઓબીસી | 45 |
એસસી | 45 |
પાટીદાર | 34 |
મુસ્લિમ | 24 |
જૈન | 11 |
નોન ગુજરાતી | 9 |
બ્રાહ્મણ | 6 |
ક્ષત્રિય | 5 |
લોહાણા | 2 |
એસટી | 2 |
સોની | 2 |
સિંધી | 2 |
ક્રિશ્ચિયન | 1 |
કુલ | 188 |
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.