કેન્દ્ર સરકારે તેના પેન્શનર માટે હયાતીનું પ્રમાણપત્ર હવે ઘરેબેઠાં મોબાઈલથી સબમિટ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવી છે. આ નિર્ણયથી દેશભરમાં અંદાજે 1 કરોડ પેન્શનરને લાભ થશે. અત્યાર સુધી પેન્શનરે દર વર્ષના નવેમ્બરમાં હયાતીનું પ્રમાણપત્ર ફિઝિકલ સ્વરૂપે રજૂ કરવું પડતું હતું. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ડિપાર્ટમેન્ટે એવું સોફ્ટવેર બનાવ્યું છે જે પેન્શનરનો આધાર નંબર અને બાયોમેટ્રિક ડિટેઈલ વાંચી નોંધ કરી લેશે.
ફેસ રેકગ્નિશન સર્વિસનો વિકલ્પ પેન્શનરોને આપવામાં આવ્યો છે. મોટાભાગના પેન્શનરો વૃદ્ધ હોવાથી પેન્શન ઓફિસમાં શારીરિક રીતે મુલાકાત લેવા અને હયાતીનું પ્રમાણપત્ર સબમિટ કરવા આવી શકે તેમ નથી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આધાર કાર્ડના ડેટાબેઝનો ઉપયોગ કરીને પેન્શનરો માટે ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી શરૂ કરી છે.
મોબાઈલ એપ પરથી આ પ્રોસેસ કરવી પડશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.