તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના નારોલમાં આવેલા આકૃતિ ટાઉનશીપમાં 200થી વધુ કબૂતરોના મોત થતા પશુપાલન ખાતાએ પક્ષીઓના બે સેમ્પલને ભોપાલ લેબમાં મોકલ્યાં હતાં, જેનો રિપોર્ટ શુક્રવારે નેગેટિવ આવતા બર્ડફ્લૂની ચિંતા દૂર થઈ છે. બીજી તરફ નારોલના આજ સ્થળે શુક્રવારે પણ વધુ 14 કબૂતરના મોત થયા હતા.
ગુજરાત સહિત અત્યાર સુધીમાં 10થી વધુ રાજ્યોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ ચૂકી છે. ગત બુધવારે શહેરના નારોલની આકૃતિ ટાઉનશિપમાં 66, ગુરૂવારે 124 અને શુક્રવારે 14 કબૂતરના મોત થયા હતા. બર્ડફ્લૂના સંભવિત ભયને જોતા સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ હતો. જેની ગંભીરતાને ધ્યાને રાખીને પશુપાલનની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી.
પશુપાલન વિભાગના નાયબ નિયામક ડો. સુકેતુ ઉપાધ્યાયે કહ્યું કે, મૃત કબૂતરોના સેમ્પલ બર્ડફલૂની તપાસ માટે ભોપાલ મોકલ્યા હતા, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બર્ડફ્લૂની સ્થિતિમાં મૃતક કબૂતરોનું પીએમ ન કરી શકાય. હવે રિપોર્ટ નેગેટિવ આવતા પક્ષીઓનું પોસ્ટ પોર્ટમ કરાશે અને સેમ્પલ પુનાની લેબમાં પણ મોકલાશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.