ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજાઈ હતી, જેમાં નો-રિપીટ થિયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યા છે. ત્યારે સ્વર્ણિમ સંકુલ ખાતે શપથગ્રહણ કર્યા બાદ કેબિનેટ, રાજ્ય કક્ષા અને સ્વતંત્ર હવાલા મેળવનાર મંત્રીઓ સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્વર્ણિમ સંકુલ ખાતે પહેલી કેબિનેટ બેઠક મળી હતી. બેઠક બાદ તમામને ખાતાની ફાળવણી કરાઈ છે. જેમાં રાજેન્દ્ર ત્રિવેદીને મહેસૂલ અને કાયદો, હર્ષ સંઘવીને ગૃહ, મનીષા વકીલને મહિલા અને બાળ કલ્યાણ, જીત વાઘાણીને શિક્ષણ, રાઘવજી પટેલને કૃષિ, બ્રિજેશ મેરજાને શ્રમ અને રોજગાર, પ્રદીપ પરમારને સામાજીક અને ન્યાય ખાતું ફાળવવામાં આવ્યું છે.
કોને કયું ખાતું ફાળવવામાં આવ્યું
મુખ્યમંત્રી | કયો વિભાગ |
ભૂપેન્દ્ર પટેલ | સા.વ.વિ., વહીવટી સુધારણા અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, માહિતી અન પ્રસારણ, પાટનગર યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ, ખાણ અને ખનીજ, નર્મદા, બંદરો, તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીઓને ફાળવાયેલ ન હોય તેવા વિષયો / વિભાગો |
કેબિનેટ મંત્રી | |
રાજેન્દ્ર ત્રિવેદી | મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો |
જીતુભાઈ વાઘાણી | શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ), ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રાઉધ્યોગિક |
રૂષિકેશ પટેલ | આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠો |
પૂર્ણેશ મોદી | માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ |
રાઘવજી પટેલ | કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન |
કનુ દેસાઇ | નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ |
કીરીટસિંહ રાણા | વન, પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી |
નરેશ પટેલ | આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા |
પ્રદિપસિંહ પરમાર | સામાજીક ન્યાય અને અધિકારીતા |
અર્જુનસિંહ ચૌહાણ | ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ |
રાજયકક્ષાના મંત્રી(સ્વતંત્ર હવાલો) | |
હર્ષ સંઘવી | રમત, ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, આપત્તિ વ્યવસ્થાપન |
જગદીશ વિશ્વકર્મા | કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ(સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરી |
બ્રીજેશ મેરજા | શ્રમ, રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ |
જીતુ ચૌધરી | કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠો |
મનીષાબેન વકીલ | મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજીક ન્યાય અને અધિકારીતા |
રાજયકક્ષાના મંત્રી | |
મુકેશ પટેલ | કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ |
નિમિષાબેન સુથાર | આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ |
અરવિંદ રૈયાણી | વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ |
કુબેર ડીંડોર | ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો |
કિર્તીસિંહ વાઘેલા | પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ |
ગજેન્દ્રસિંહ પરમાર | અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો |
આર. સી. મકવાણા | સામાજીક ન્યાય અને અધિકારીતા |
વિનોદ મોરડીયા | શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ |
દેવા માલમ | પશુપાલન અને ગૌ સંવર્ધન |
જૂના મંત્રીઓએ કેબિનો ખાલી કરી
ગાંધીનગરમાં સ્વર્ણિમ સ્કૂલ -1 ખાતે નવા મંત્રીઓના આગમનને લઈને તૈયારી કરવામાં આવી રહી છે. સ્વર્ણિમ સંકુલ-1ના ગેટ પર આસોપાલવના તોરણ બાંધવામાં આવ્યા છે. જ્યારે જૂની સરકારમાં રહેલા મંત્રીઓ પણ મંત્રીપદ મળશે એવી અપેક્ષાએ બેસી રહ્યા હતા. પરંતુ મંત્રીમંડળમાં ન સમાવાતા નિઃશાસો નાખી કાર્યાલય ખાલી કરી રહ્યા છે. તેમના કાર્યાલયમાંથી થેલેથેલા ભરીને બધું કાઢીને વાહનોમાં ભરવામાં આવી રહ્યું છે.
25નું મંત્રીમંડળ
ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચના બાદ સાંજે મંત્રીમંડળની પ્રથમ બેઠક મળી હતી, જેમાં મંત્રીઓને ખાતાંની ફાળવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળનું કદ કુલ 25નું રાખવામાં આવ્યું છે, જેમાં 10 કેબિનેટ કક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રી રાખવામાં આવ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.