તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યના સૌથી મોટા અને આર્થિક પાટનગર એવા અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2021-22નું સુધારા સાથેનું બજેટ શાસક પક્ષ ભાજપ દ્વારા આજે સોમવારે બપોરે 12 વાગ્યે ઓનલાઇન વીડિયો કોન્ફરસના માધ્યમથી રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટે રૂ 8051 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે રજૂ કરેલા રૂ. 7,475 કરોડના બજેટમાં રૂ.576 કરોડનો વધારો કર્યો છે. શાસક પક્ષ ભાજપે અમદાવાદીઓને રાહત આપતા સામાન્ય વેરા, વોટર કન્વર્ઝેશન અને વાહનવેરામાં કોઈ વધારો કર્યો નથી.
જ્યારે થલતેજના ઝાયડસ રોડ પર 30 બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે. જેના માટે 30 કરોડની જોગવાઈ કરી છે.
આ બજેટ નિરસ છે. નળ, ગટર, પાણી અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે ખાસ કોઈ ફાળવણી કરવામાં આવી નથી. આમ નાગરિકોના પ્રાથમિક પ્રશ્નોનો આગામી વર્ષમાં ઉકેલ આવશે કે કેમ તે પણ એક સવાલ છે.
AMCના બજેટ 2021-22માં કરવામાં આવેલી વિકાસ કાર્યોની જાહેરાતો વાંચવા અહીં ક્લિક કરો
શાસકોના વોર્ડમાં જ સુવિધાઓ વધારવાની જાહેરાત
કોર્પોરેશનના વર્ષ 2021-22ના બજેટમાં ભાજપના શાસકોએ પોતાના વોર્ડમાં જ સુખ સુવિધાઓ વધારી હોવાની જાહેરાત કરી છે. આ બજેટમાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન અને થલતેજ વોર્ડના કોર્પોરેટર એવા હિતેશ બારોટના વોર્ડમાં આવતી ઝાયડ્સ હોસ્પિટલ રોડ પર એક 30 બેડની હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. મેયર કિરીટ પરમારના ઠક્કરબાપાનગર વોર્ડમાં ટીપી 66, FP 102માં નવી મ્યુનિસિપલ સ્કૂલ બનાવાશે. આ ઉપરાંત ટીપી 65, FP 173માં યોગા સેન્ટર તથા જિમનેશિયમ બનાવવામાં આવશે.
દંડક અને ચાંદખેડા વોર્ડના કોર્પોરેટર અરુણસિંહ રાજપૂતના વોર્ડમાં પણ સિનિયર સિટીઝન પાર્ક બનાવવાની જાહેરાત કરાઈ છે. જો કે ચાંદખેડા વિસ્તારમાં સારા સિનિયર સિટીઝન પાર્ક ઉપલબ્ધ જ છે, આમ છતાં ત્યાં નવા પાર્ક બનાવવાની જાહેરાત કરી છે. જ્યારે સરસપુર વોર્ડના કોર્પોરેટર અને પક્ષના નેતા ભાસ્કરભાઈ ભટ્ટના વોર્ડમાં કાલુપુર રેલવે સ્ટેશનની પૂર્વ બાજુ સરસપુર તરફનો રોડ બ્યુટીફિકેશન સહિતનો બનાવવામાં આવશે.
40 ચો.મી.ની રહેણાંક મિલકત ધારકોને ટેક્સ માફી
શહેરના 40 ચોરસ મીટરના રહેણાંક મિલકત ધારકોને ટેક્સ માફી આપવામાં આવી છે. જેનો 6.49 લાખ મિલકત ધારકોને લાભ મળશે. તેમજ 40 ચો.મી. સુધીના ક્ષેત્રફળ ધરાવતી તમામ રહેણાંક મિલકતોમાં જો 1 જૂન 2021થી 31 ઓગસ્ટ 2021 સુધીમાં વર્ષ 2020-21 સુધીનો પુરેપુરો પ્રોપર્ટી ટેક્સ(વધુમાં વધુ ત્રણ હપ્તામાં)ભરપાઈ કરવામાં આવે તો તેવા તમામ કરદાતાઓને તેમની પાછલી રકમ પર ચઢેલા વ્યાજમાં 100 ટકા વ્યાજ માફી આપવામાં આવશે.
ઈ વ્હિકલના વેરામાં 100 ટકા રાહત
ઈ વ્હિકલના વેરામાં 100 ટકા રાહત આપી છે. AMCની બિલ્ડિંગોમાં ચાલી રહેલી ટ્રસ્ટની હોસ્પિટલની મિલકતોમાં 70 ટકા રિબેટ આપવામાં આવી છે. ફાયર સ્ટેશન અને ફાયર ચોકીમાં વધારો કરવા 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
4 નવા ફ્લાય ઓવર
વર્ષ 2021-22ના ડ્રાફ્ટ બજેટમાં કમિશનરે ઘોડાસર, પ્રગતિનગર, સતાધાર અને નરોડા પાટિયામાં 4 નવા ફ્લાય ઓવર બનાવવાની જાહેરાત કરવામાં આવી
છે. જ્યારે બોપલ-ઘુમા વિસ્તારમાં ઈકોલોજિકલ પાર્ક તૈયાર કરવાની યોજના મુકવામાં આવી હતી.
ગત વર્ષના મોટાભાગના કામ બાકી
ગત વર્ષે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ રૂ. 8907.32 કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં રૂ. 777.67 કરોડનો વધારો શાસક પક્ષે કર્યો હતો અને રૂ. 9,685 કરોડનું બજેટ મંજૂર કર્યું હતું. જેમાં મોટા ભાગનાં કામ કોરોના મહામારીને કારણે બાકી રહી ગયાં છે. કોરોનાને કારણે બજેટનું કદ ગત વર્ષ કરતાં ઘટ્યું છે. ગત વર્ષ કરતાં રૂ. 1432 કરોડના ઘટાડા સાથે બજેટ મુકેશકુમારે રજૂ કર્યું હતું.
કોર્પોરેટરની ગ્રાન્ટમાં 13 લાખનો વધારો
જ્યારે મ્યુનિસિપલ કમિશનરે કોર્પોરેટરોને રૂ.17 લાખની ગ્રાન્ટ આપવાની દરખાસ્તમાં શાસક પક્ષ ભાજપે રૂ.13 લાખનો વધારો કર્યો છે અને રૂ. 30 લાખની ગ્રાન્ટ હવે કોર્પોરેટરોને મળશે. કેવડિયામાં જેવું આયુષ્ય માનવ ગાર્ડન બનાવવામા આવ્યું છે, એવું આયુષ્ય માનવ ગાર્ડન અમદાવાદ શહેરમાં રૂ. 5 કરોડના ખર્ચે બનાવવામાં આવશે.
બજેટ હાઈલાઈટ્સ
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.