બોટાદ, રાણપુર અને ધંધુકામાં થયેલા લઠ્ઠાકાંડ બાબતે ત્રણેય પોલીસ સ્ટેશનમાં જુદા જુદા 3 ગુના નોંધવામાં આવ્યા છે. જો કે આ ત્રણેય ગુનાઓમાં આરોપીઓ એક જ છે અને ત્રણેય ગુનાઓમાં કલમો પણ એક સરખી જ છે. જેથી આ ત્રણેય કેસને કલબ કરીને એક જ કેસ બનાવવા પોલીસ કોર્ટમાં રિપોર્ટ કરશે. જ્યારે આ કેસની ન્યાયીક પ્રક્રિયા રોજે રોજ ચાલી શકે અને આરોપીઓને જલ્દી યોગ્ય સજા થાય તે માટે સરકારે સ્પેશિયલ પબ્લીક પ્રોસિકયુટર(પીપી) તરીકે ઉત્પલ દવેની નિમણૂક કરી છે.
બોટાદ અને અમદાવાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડમાં અત્યારસુધીમાં 58 લોકોના મૃત્યુ થયા છે. આ અંગે બોટાદ જિલ્લાના બોટાદ અને રાણપુર પોલીસ સ્ટેશનમાં 2 નોંધાયા હતા. જ્યારે અમદાવાદ જિલ્લના ધંધુકા પોલીસ સ્ટેશનમાં 1 મળીને ગુનો નોંધવામાં આવ્યા છે. જો કે આ ત્રણેય કેસમાં આરોપીઓ એક જ છે અને કલમો પણ એક સરખી જ છે. જેથી આ ત્રણેય કેસનો કલબ કરીને એક કેસ ગણવા માટે પોલીસ કોર્ટમાં રિપોર્ટ કરશે. આ કેસમાં પોલીસે અત્યાર સુધી મિથેનોલ બુટલેગરોને સપ્લાય કરનાર એમોસ કંપનીના લેબર સુપરવાઇઝર જયેશ સહિત 14 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે એમોસ કંપનીના માલિક સમીર પટેલ અને તેના ભાગીદારો હજુ પણ ફરાર હોવાથી પોલીસ તેમને શોધી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.