પરીક્ષા:માસ પ્રમોશન મળ્યા બાદ હવે સારી કોલેજમાં એડમિશન મેળવવા વિદ્યાર્થીઓ આજે ગુજકેટની પરીક્ષા આપશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપવા માટે પહોંચ્યા - Divya Bhaskar
આજે વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપવા માટે પહોંચ્યા
  • સારી કોલેજમાં એડમીશન મળે માટે આખી રાત વાંચીને મહેનત કરી: વિદ્યાર્થી
  • એક વર્ગમાં માત્ર 20 વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપે તેવી વ્યવસ્થા કરાઈ

આજથી રાજ્યભરમાં 12 સાયન્સના વિદ્યાર્થિઓની ગુજકેટની પરિક્ષા છે. અગાઉ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળ્યું છે. પરંતુ હવે કેસ નિયંત્રણમાં આવતા આજે ગુજકેટની પરિક્ષા યોજવામાં આવી છે.ગુજકેટની પરીક્ષાના 50 ટકા માર્કસ વિદ્યાર્થીઓને કોલેજમાં ફાર્મસી અને એન્જિનીયરિંગમાં એડમિશન માટે ગણવામાં આવશે.

વર્ગખંડમાં 20 વિદ્યાર્થીઓ માટે જ વ્યવસ્થા
રાણીપ ની કે.આર. રાવલ સ્કૂલમાં 240 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા. સ્કૂલમાં સર્કલ બનાવીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓને થર્મલ ગનથી સ્ક્રિનિંગ કરીને હાથ સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા. વર્ગખંડમાં 20 વિદ્યાર્થીઓ માટે જ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગાઈડલાઈનના પાલન સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો
ગાઈડલાઈનના પાલન સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

બોર્ડની પરીક્ષા કરતા ગુજકેટ માટે વધુ તૈયારી કરી
પ્રજાપતિ સંકલ્પે જણાવ્યું હતું કે તૈયારી સારી કરી છે.બોર્ડની પરીક્ષા આપી નથી જેથી થોડું પ્રેશર છે. માસ પ્રમોશન અગાઉ પરીક્ષાની તૈયારી કરી હતી.પરંતુ ગુજકેટ માટે થોડી વધુ તૈયારી કરી છે. સારી કોલેજમાં એડમીશન મળે તે લક્ષ્ય સાથે તૈયારી કરી છે. પેપર કેવું પુછાશે તેના પર આધારે છે. યશ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે સારી કોલેજમાં એડમિશન માટે ગુજકેટ મહત્વની પરિક્ષા છે. બોર્ડની પરીક્ષા કરતા ગુજકેટ માટે વધુ તૈયારી કરી છે. સારી કોલેજમાં એડમીશન મળે તે માટે આખી રાર જાગીને તૈયારી કરી છે.120 માંથી 100 માર્ક્સ ઉપરનો ટાર્ગેટ છે.

બોર્ડની પરીક્ષા કરતાં ગુજકેટ માટે વધુ તૈયારી કરી એમ વિદ્યાર્થીઓએ કહ્યું
બોર્ડની પરીક્ષા કરતાં ગુજકેટ માટે વધુ તૈયારી કરી એમ વિદ્યાર્થીઓએ કહ્યું

તમામ નિયમોના પાલન સાથે પરીક્ષા યોજાશે
કે.આર. રાવલ સ્કૂલના આચાર્ય સમીર રાવલે જણાવ્યું હતું કે, સ્કૂલમાં બોર્ડે આપેલ સૂચના અને ગાઈડ લાઇનનું પાલન કરી રહ્યા છે. તમામ રૂમને કાલે જ સેનિટાઈઝ કરવામાં આવ્યાં હતાં. વિદ્યાર્થીઓ માટે માસ્ક ફરજીયાત રાખવામાં આવ્યું છે.સામાન્ય રીતે 30 વિદ્યાર્થીઓને એક વર્ગમાં બેસાડવામાં આવતા હતા તેની જગ્યાએ આ વર્ષે 20 જ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે. તમામ નિયમોના પાલન સાથે પરીક્ષા યોજાશે.