તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
NCERT એનટીએસઈ સ્ટેજ-2ના એડમિટ કાર્ડ જાહેર કરી દીધા છે. તે સાથે જ કાઉન્સિલે એક્ઝામ સેન્ટરનું લિસ્ટ પણ જાહેર કરી દીધું છે. સ્ટુડન્ટ્સ અધિકૃત વેબસાઈટ ncert.nic.in પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ એક્ઝામમાં માત્ર એવા વિદ્યાર્થીઓ જ ભાગ લઈ શકે છે જેઓ સ્ટેજ-1ની એક્ઝામમાં સફળ થયા હોય.
આની પહેલાં એક્ઝામ 7 ફેબ્રુઆરીએ યોજાવાની હતી પણ પછીથી તારીખમાં ચેન્જ આવતાં તેને 14 ફેબ્રુઆરીએ લેવાવાનો નિર્ણય થયો. સ્ટેજ-2ની એક્ઝામ પાસ કરનાર સ્ટુડન્ટ્સને દર મહિને સ્કોલરશિપ અપાશે. તે અંતર્ગત ધો.11 અને 12ના વિદ્યાર્થીઓ દર મહિને 1250 રૂપિયા અને યુજી-પીજીના સ્ટુડન્ટ્સને 2 હજાર રૂપિયા અપાશે. જ્યારે અન્ય વર્ગોના સ્ટુડન્ટ્સને યુજીસીના માપદંડ પ્રમાણે સ્કોલરશિપ મળશે.
દિવ્યાંગ ઉમેદવારો માટે સ્કોલરશિપ યુજીસીએ એકેડેમિક વર્ષ 2020-21 માટે નેશનલ ફેલોશિપ ફોર પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ માટે એપ્લિકેશન મંગાવી છે. જેમાં એમફિલ કે પીએચડી કરવા ઈચ્છતા દિવ્યાંગ એપ્લાય કરી શકે છે. સ્કોલરશિપ માટે ઉમેદવારો 15 ફેબ્રુઆરી સુધી અધિકૃત વેબસાઈટ ugc.ac.in/ugc_schemesના માધ્યમથી ઓનલાઈન એપ્લાય કરી શકે છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.