કૃષ્ણનગર અકુંર સોસાયટીમાં નવા બનતા આરસીસી રોડ પર ચાલવાની ના પાડતાં 3 જણાંએ ઉશ્કેરાઇને યુવકને ગાળો બોલી, ચપ્પાના ઘા મારી ભાગી ગયા હતા. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
કૃષ્ણનગર અંકુર સોસાયટીમાં રહેતા ભરતભાઇ પ્રજાપતિની સોસાયટીમાં નવો આરસીસી રોડ બની રહ્યો હતો. રાત્રે 8.30 વાગે તેઓ સોસાયટીના નાકે ઉભા હતાં ત્યારે વિજય કામદાર સોસાયટીમાં રહેતા વિશાલ અને તેના બે મિત્રો નવા બનતા રોડ પર ચાલતા હતાં, તેથી ભરતભાઇએ તેમને બની રહેલા રોડ પર ચાલવાની ના પાડતાં વિશાલ અને તેના મિત્રોએ ગુસ્સે થઇ ગયા હતા. તેમણે ગાળો બોલી મારઝૂડ કરી અને ભરતભાઇને કાનના ભાગે ચપ્પાના ઘા મારી ભાગી ગયા હતાં. ઇજાગ્રસ્ત ભરતભાઇને શારદાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.