તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોલીસ અને હોમગાર્ડના 17 કર્મીઓ કે જેમણે કોરોનામાં ડ્યુટી દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો છે તેવા પોલીસ અને હોમગાર્ડને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન સરદાર પટેલ સ્મારક શાહીબાગ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં તમામ 17 કર્મીઓના પરિવારજનો હાજર હતા. પરીજનો માટે આ એક ભાવુક ક્ષણ હતી.
કોરોના વોરિયર્સ તરીકે ભજવેલી તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને મૃત્યુપરાંત સન્માનિત કરવામાં આવ્યા હતા. કમલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા પ્રોગ્રામના પ્રમુખ પ્રકાશ રાવે કહ્યું કે, કોરોનામાં ડ્યુટી દરમિયાન જેમણે જીવ ગુમાવ્યો છે તેમને અનોખી રીતે આ કાર્યક્રમ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં 14 પોલીસકર્મીઓ અને 3 હોમગાર્ડના જવાનો હતા. આ કાર્યક્રમમાં મંત્ર વિધિ સાથે તર્પણનો પણ કાર્યક્રમ યોજાયો હતો. કેટલાક પોલીસકર્મીના સ્વજનો પણ હાલ પોલીસમાં છે. જેમણે તેમની સાથેની જૂની વાતો અને ફરજ પ્રત્યેની નિષ્ઠાને પણ યાદ કરી હતી. કાર્યક્રમમાં કોરોના વોરિયર્સના નામ અને ફોટો સાથેના સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.