તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા સંસ્કૃત રેસિડેન્સી નામના ફ્લેટના એક મકાનમાં પતિએ પત્ની હત્યા કરી હોવાની ઘટના બની છે. ઘર કંકાસમાં પતિ મિતેશ ભાનુએ પત્ની પીનલની હત્યા કરી નાંખી છે. ભરબપોરે પતિ પત્નીને છરીના ઘા મારી ક્રૂરતા પૂર્વક હત્યા કરી હતી. હત્યારા મિતેશને તેના પિતાએ જ ઝડપી લીધો હતો. ઘટનાની જાણ થતાં નિકોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. પત્નીની લાશને પીએમ માટે મોકલી ફરાર પતિને ઝડપવા તજવીજ શરૂ કરવામાં આવી છે.
પત્ની સાથે ઝઘતો થતા છરીના ઘા માર્યા
આ હત્યા અંગે નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.ડી. ઝાલાએ જણાવ્યું હતું કે, સંસ્કૃત રેસિડેન્સીમાં મિતેશભાઈ ભાનુ, પત્ની, ત્રણ દીકરી અને માતા-પિતા સાથે રહે છે. પોતે છૂટક મજૂરી કામ કરે છે. આજે બપોરે ઘરમાં બધા હાજર હતા ત્યારે મિતેશભાઈને પત્ની પીનલ સાથે ઝઘડો થયો હતો. અવારનવાર નાના નાના ઝઘડા થતા રહેતા હતા જેથી આજે પતિ મિતેશભાઈએ આવેશમાં આવીને પત્નીને છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી. આ મામલે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
22 માર્ચે એક પતિએ હોટલમાં પત્નીની હત્યા કરી હતી
આ પહેલા 22 માર્ચના રોજ અમદાવાદ શહેરના હાટકેશ્વર- અજીત મિલ રોડ પર આવેલી હોટલ અતિથિમાં મેહુલ સોલંકી નામના પતિએ પત્ની યોગિતા સોલંકીની હત્યા કર્યા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ બાપુનગર પોલીસ અને FSLનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જણાયું છે કે, મરનાર મહિલાને તેના ભાઈના સાળા સાથે આડાસબંધની જાણ થતાં પતિએ તેને બેંકમાં લઈ જવાના બહાને હોટલમાં લઈ જઇને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
ઈજાગ્રસ્ત પતિએ કાગળ પર લખ્યું, ‘આડાસબંધથી પત્નીની હત્યા કરી’
અમરાઈવાડીમાં રહેતો મેહુલ સોલંકી બાપુનગરના ગુજરાત બોટલિંગ ચારરસ્તા પાસેના અતિથિ ગેસ્ટ હાઉસમાં પત્નીને લઈ ગયો હતો અને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને પોતે પણ આપઘાત કરવા માટે ગળા પર છરી મારી દીધી હતી. જો કે મેહુલની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન મેહુલને હોંશ આવતાં પોલીસે તેની પૂછપરછ કરી હતી.
જો કે, મેહુલ કંઈ બોલી શકે તે હાલતમાં ન હોવાથી પોલીસે તેને લખીને કહેવાનું કહેતાં, મેહુલે કહ્યું હતું કે, મારા સાળાના સાળા સાથે મારી પત્ની યોગીતાને પ્રેમસંબંધ હતો. જે અવાર નવાર વોટસએપ પર વાતો કરતી હતી. જેની જાણ મને થતાં, હું તેને ગેસ્ટહાઉસ લઇ ગયો હતો અને તેની હત્યા કરી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
પીનલ 13 વર્ષની હતી ત્યારે મિતેશ ભગાડી ગયો હતો
નિકોલ પોલીસમાં પીનલની માતા મંગુબેન રાજપૂતે નોંધાવેલી ફરિયાદ મુજબ પીનલ 13 વર્ષની હતી ત્યારે મિતેશ તેને ભગાડી ગયો હતો. મિતેશ પીનલ પર શંકા રાખી ઝઘડો કરતો હતો. બે મહિના પહેલાં જ પતિથી કંટાળી પીનલે પહેલા માળેથી કૂદતા ઇજાગ્રસ્ત થઈ હતી.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.