ગુજરાતના યુવાનો જેટલા બદલાતા સમય અને આધુનિક ટેકનોલોજી સાથે જોડાયેલા છે એટલા જ સંસ્કારો અને પરિવાર પ્રતિ લાગણીથી પણ જોડાયેલા છે. રોકાણ અને નવી આશાઓને લઇને પણ તેઓ એલર્ટ છે, સાથે જ તેઓ દેશની સમસ્યાઓ બાબતે પણ જાગ્રત છે. તેઓ સપનાં તો જુએ જ છે, પણ વાસ્તવિકતામાં પણ રહેવું તેમને પસંદ છે.
રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે દિવ્ય ભાસ્કરે કેટલાક સવાલો પર ગુજરાતના યુવાનોના મનની વાત જાણવાનો પ્રયાસ કર્યો. આ સરવેનાં પરિણામો જણાવે છે કે 18થી 35 વર્ષના ગુજરાતી યુવાનોને આજે પણ સૌથી વધારે ખુશી પરિવારની સાથે જ મળે છે. સરવે પ્રમાણે, 71 ટકા યુવાનોએ પોતાની પહેલી પ્રાથમિકતા પરિવારને ગણાવી છે. તેમને એ બાબતનો પણ અફ્સોસ છે કે તેઓ પોતાનાં માતા-પિતાને દરરોજ માત્ર 2 કલાક જ ફાળવી શકે છે.
55 ટકા યુવાનો માને છે કે તેઓ પોતાના પગારના 15 ટકા સુધી જ બચત કરી શકે છે. 35% યુવાનોને ધર્મ અને જ્ઞાતિના નામ પર ભેદભાવની, 31.5% યુવાનોને ગુણવત્તાસભર શિક્ષણની કમી સામે, જ્યારે 16.6%ને નોકરી-રોજગારમાં સીમિત તકો સામે ફરિયાદો છે. જાણીએ, ગુજરાતી યુવાનોમાં મનની વાત…
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.