નારણપુરા સુંદરનગર પાસેના ધી સ્પેન્ટા-2માં રહેતા ભરતભાઈ લાખાજી નંદવાણા (ઉં.66) એ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સૌરીન મહેન્દ્રભાઈ પંચાલ(રહે. સોપાન રેસિડેન્સી, નવરંગપુરા) વિરુદ્ધ રૂ.13.82 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મુજબ, ભરતભાઈ અને તેમના 5 ભાઈઓની માલિકીની રૂ.22 કરોડની કિંમતની જમીનનો સોદો તેમણે સૌરીન પંચાલ સાથે નક્કી કર્યો હતો, જેના પર સૌરીન પંચાલે ધી સેન્ટ્રલ પાર્ક નામની સ્કીમ મુકી હતી, જેમાં ભરતભાઈને 2 ફલેટ અને તેમના ભાઈઓને 5 ફલેટ મળીને કુલ 7 ફલેટ પેટે સૌરીન પંચાલને આ પૈસા આપ્યા હતા.
જો કે સૌરીને પૈસા લઈને આ સાતેય ફલેટના દસ્તાવેજ ભરતભાઈ અને તેમના ભાઈઓને કરી આપ્યા ન હતા. ભરતભાઈ અને તેમના ભાઈઓના 7 ફલેટ સૌરીન પંચાલે અન્ય વ્યક્તિઓને વેચી દીધા હતા. તેમ છતાં સૌરીન પંચાલે ભરતભાઈ અને તેમના ભાઈઓ પાસેથી ફલેટ પેટે લીધેલા રૂ.13.82 કરોડ પાછા નહીં આપી છેતરપિંડી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.