ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં દસ હત્યાઓની ઘટનાઓ સામે આવી છે. જેથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા થયા છે. વધતી જતી ગુનાખોરી અને કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. અમદાવાદ અને જામનગરમાં 2-2, સુરતમાં 3, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરામાં એક એક હત્યાના બનાવો બન્યા છે. ગૃહ રાજ્યમંત્રીના શહેર સુરતમાં છેલ્લા 24 કલાકમાં 3 હત્યાની ઘટના બની છે. બે હત્યા ડીંડોલી વિસ્તારમાં જ્યારે એક લિંબાયત વિસ્તારમાં બની છે.
‘ભાજપ સરકારની સબ સલામતના દાવાની પોલ ખુલી’
કૉંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો-ગુંડાઓ બેકાબુ થઈને કાયદો વ્યવસ્થાની ધજ્જિયા ઉડાવી રહ્યા છે. છેલ્લાં 24 કલાકમાં ગુજરાત રક્તરંજિત બન્યું છે અને 10 નિર્મમ હત્યાઓ રાજ્યમાં થઈ છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં નશાબંધીનો કાયદો હોવા છતાં બેરોકટોક કરોડો રૂપિયાનો દારુ ઠલવાય, અબજો રૂપિયાની ડ્રગ્સની હેરાફેરી થાય, બેફામ વ્યાજ ખોરોનો ત્રાસ, નકલી નોટો, ચીટ ફંડ સહીત આર્થિક ગુનાખોરી આસમાને હોય ત્યારે ભાજપ સરકાર તથા ગૃહ વિભાગ જાગે તો જ ગુજરાત સાચા અર્થમાં સલામત બનશે અને ગુજરાતીઓ શાંતિથી જીવી શકશે. હત્યાની ઘટનાઓએ ભાજપ સરકારની સબ સલામતના દાવાની પોલ ખોલી નાખી છે.
ગુજરાતમાં 24 કલાકમાં બનેલી 10 હત્યાઓ
હત્યા-1 સુરતના ડીંડોલી વિસ્તારમાં
હત્યા-2 સુરતના વિમલનાથ સોસાયટી નજીક
હત્યા-3 સુરતના લિંબાયત વિસ્તારમાં.
હત્યા-4 અમદાવાદના બાપુનગરમાં
હત્યા-5 અમદાવાદના નિકોલમાં
હત્યા-6 જામનગરના લાલપુર બાયપાસ નજીક
હત્યા-7 જામનગર પંથકના પસાયા બેરાજા ગામની સીમમાં
હત્યા-8 વડોદરાના બાપોદ ગામે
હત્યા-9 રાજકોટના ગોંડલ રોડ પર શિવ હોટલ પાછળ.
હત્યા-10 સુરેન્દ્રનગર 80 ફૂટ રિંગરોડ પર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.