• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 4742 Got The Charter Despite The Closure Of The Courts In Corona For A Year And A Half Despite The Closure Of The Courts For A Long Time

વકીલાતનો ક્રેઝ વધ્યો:કોરોનામાં દોઢ વર્ષ કોર્ટો બંધ છતાં 4742એ સનદ મેળવી; સામાન્ય સંજોગોમાં વર્ષે અંદાજે 3 હજાર સનદ ઇશ્યૂ કરાતી હોય છે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કોરોનાના કારણે રાજ્યભરની કોર્ટો દોઢ વર્ષ બંધ રહેતા વકીલોની આર્થિક હાલત કફોડી બનતાં, કેટલાક જુનિયર વકીલોએ વ્યવસાય પણ બદલ્યો હતો. તેમ છતાં વર્ષ 2020માં રાજ્યભરમાંથી 4742 લોકોએ સ્ટેટ બાર કાઉન્સિલમાંથી વકીલાતની પ્રેક્ટિસ માટે નોંધણી સર્ટિફિકેટ(સનદ)મેળવી છે. આ આંકડો જોતાં વકીલાતના વ્યવસાયમાં જોડાવા માટે યુવાઓમાં ક્રેઝ વધી રહ્યો છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના એક્ઝિક્યુટિવ મેમ્બર અનિલ કેલ્લાએ કહ્યું હતું કે, વર્ષ 2010 પછી કોઇપણ કાયદાના સ્નાતકે વકીલાતના વ્યવસાયમાં પ્રવેશ કરવો હોય તો બે પ્રકારની સનદ મેળવવી પડે છે. સૌ પ્રથમ સ્ટેટ બાર કાઉન્સિલમાંથી નોંધણી સર્ટિફિકેટ (સનદ) મેળવવી પડે, એ પછી બાર કાઉન્સિલની પરીક્ષા ફરજીયાત પાસ કરવી પડે છે. આ પરીક્ષા પાસ કરનાર વકીલને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયા પ્રેક્ટિસ સર્ટિફિકેટ(સનદ) આપે છે.

ગુજરાતમાં દર વર્ષે અંદાજે 3500 લોકો સ્ટેટ બાર કાઉન્સિલમાં નોંધણી કરાવતા હોય છે. નોંધણી બાદ વકીલોએ 2 વર્ષમાં બાર કાઉન્સિલની પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે. જે લોકો 2 વર્ષમાં આ પરીક્ષા પાસ ના કરે, તેમને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે આપેલ પ્રોવિઝનલ સર્ટિફિકેટ આપોઆપ રદ થઇ જાય છે, જેથી એ લોકો વકીલાત કરી શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...