જીએસટી લાગુ થયો ત્યારથી કરદાતાઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે અંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે જીએસટી કમિશનર તેમજ સીબીઆઇસીના ચેરમેનને પત્ર લખીને રજૂઆત કરી છે. કુલ 13 મુદ્દાઓ સાથે રૂબરૂ બેઠક કરવા રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પથિક પટવારીએ જીએસટી કમિશનર તેમજ સીબીઆઇસી ચેરમેનને 13 મુદ્દાઓનો પત્ર લખીને રજૂઆત કરી છે. જેમાં ફાઇલ કરવામાં આવેલા રિટર્નમાં વિસંગતતા હોય તો અધિકારીએ એએસએમટી-10 ઇસ્યુ કરવાનું હોય છે. વેપારી તેની સામે એએસએમટી-11 ફાઇલ કરવામાં આવે છે પરંતુ ત્યાર બાદ અધિકારી દ્વારા એએસએમટી-12 ઇસ્યુ કરવામાં આવતું નથી. કાઉન્સીલ મિટિંગની મિનિટસ તેમજ એજન્ડા વેબસાઇટ પર અપલોડ કરવી. સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટે ઇસ્યુ કરેલી સૂચનાઓની સ્ટેટ ડિપાર્ટમેન્ટ માન્ય રાખતા નથી. સ્ટેટ જીએસટીએ પણ ટેક્સપેયરને એકનોલોજમેન્ટ ઇસ્યુ કરવી જોઇએ. અધિકારીઓ ડિઆરસી-01 ઇસ્યુ કરી વ્યક્તિગત સુનાવણી બાદ પણ ડિઆરસી-07 ઓર્ડર ઇસ્યુ કરતાો નથી. ખાદ્યતેલના વેપારીઓની ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટક્ચર અંતર્ગત વેપારીઓને મળવાપાત્ર ક્રેડિટ ફરીથી શરૂ કરવી જોઇએ.
વ્યક્તિગત મુદ્દે પણ રજૂઆતો કરાઈ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.