તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાને નાથવા માટે રાત્રિ કર્ફ્યૂની અસર દેખાઇ રહી છે. કોરોનાનું સંક્રમણ શહેરમાં ધીમે ધીમે ઘટી રહ્યું છે. જેથી આજે શહેરમાં માત્ર એક જ માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર થયો છે. જ્યારે 28 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. હાલમાં શહેરમાં 265 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે.
નવા ઉમેરાયેલા માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં ચાંદલોડિયાના જગતપુર સ્થિત નિર્માણ રિજોયસના 24 ઘરના 100 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
28 વિસ્તારને કન્ટેનમેન્ટમાંથી મુક્ત કર્યાં
આજે શહેરમાં 28 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જેમાં દક્ષિણ ઝોનના 1, પૂર્વના 7, ઉત્તરમાં 1, મધ્યમાં 1, દક્ષિણ-પશ્ચિમમાં 8, પશ્ચિમના 2, ઉત્તર-પશ્ચિમના 8 વિસ્તારનો સમાવેશ થાય છે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.