તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના સંક્રમણને ખાળવા માટે લોકડાઉનની કડક અમલવારીના કારણે સૌથી વધુ હેરાનપરેશાન મજૂર લોકો થઇ રહ્યાં છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર સહિતના રાજ્યોમાંથી મજૂરીકામે ખેડા જિલ્લામાં આવેલાં શ્રમિકો રોજીરોટી વગર દયાજનક હાલતમાં મુકાઇ ગયા છે. સરકારના આદેશના પગલે ખેડા પંથકમાંથી આશરે 1600 જેટલાં શ્રમજીવીઓને બિહાર વતન પહોંચાડવા માટે નડિયાદ રેલવે સ્ટેશનથી સ્પેશ્યલ ટ્રેન રવાના કરવામાં આવી હતી. પ્લેટફોર્મ પર ટ્રેન આવતાં કોચમાં બેસતાં પહેલાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કારથી છલોછલ એવા ઘણાં પરપ્રાંતિય શ્રમિકોએ કોચના પગથિયાને નમન કર્યા હતા, તો વળી એક મુસાફરે આગળ વધી ડબાને ચુંબન કરી લાગણી વ્યક્ત કરી હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.