તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નડિયાદ તાલુકાના દંતાલી સીમમાં શનિશ્વર મંદિર પાસે રહેતાં જેઠાભાઇ ભરવાડે વસો પોલીસ સ્ટેશનમાં ગામના જ વિજય ભરવાડ, હરી ભરવાડ, દેવરાજ ભરવાડ, વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ખેતરમાં ગાયો ચરાવવા બાબતે થયેલી બોલાચાલીની દાઝ રાખી ફરિયાદીના પત્ની કંકુબેનને ઘર પાસેથી પાણી ભરી નહીં નીકળવાનું કહી પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી. જે અંગે ફરિયાદી ઠપકો આપવા જતાં ઉશ્કેરાઇ જઇ લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. મારામારીમાં ઇજાગ્રસ્ત મફતભાઇ તથા જગાભાઇને સારવાર માટે નડિયાદ ખસેડાયા હતા. જ્યારે સામા પક્ષે દેવરાજભાઇ ભરવાડે વસો પોલીસમથકમાં એ જ વિસ્તારના મફત ભરવાડ, જગા ભરવાડ, જેઠા ભરવાડ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના સાહેદ રત્નાભાઇ તથા સામાપક્ષના મફતભાઇ ભરવાડના બાળકો રમતાં રમતાં ઝગડી પડ્યાં હતા. મામલો વણસી જતા તેની દાઝ રાખી ઉપરોક્ત તમામ શખસોએ એકસંપ કરી પથ્થરોના છુટા ઘા કરી, લાકડીઓ વડે હુમલો કરી માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ પલાયન થઇ ગયા હતા. વસો પોલીસે બન્ને પક્ષના શખસો વિરૂધ્ધ લોકડાઉનમાં ડીસ્ટન્સ નહીં જાળવી મારામારી કરી જાહેરનામાનો ભંગ કરવા ગુનો દાખલ કરાયો હતો.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.