તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રામમંદિર દ્રારા રાષ્ટ્રમંદિરના નિર્માણમાં ધોળકા નગરમાં રહેતા નિવૃત્ત શિક્ષિકા મંગળાબાએ એક સંકલ્પ કર્યો હતો કે ભગવાન શ્રી રામનું અયોધ્યામાં મંદિર બનશે ત્યારે નિધિ સમર્પણ કરીશ એ સંકલ્પ શનિવારે પુરો થયો હતો. તેઓએ રૂ.2050011નું દાન કર્યું હતું.
રામમંદિર દ્રારા રાષ્ટ્રમંદિરના નિર્માણમાં ધોળકા નગરમાં રહેતા નિવૃત્ત શિક્ષિકા મંગળાબાએ એક સંકલ્પ કર્યો હતો કે ભગવાન શ્રી રામનું અયોધ્યામાં મંદિર બનશે ત્યારે સમર્પણ કરીશ એ સંકલ્પ આજે પુરો થયો તેનો રાજીપા ભાવને રૂ.2.50.011 નિધિનો ચેક ધોળકા APMC હોલ ખાતે મળેલી બેઠકમાં અપાયો હતો. જેમાં નગરના વેપારી મંડળ તરફથી ભુપતસિંહજી ડાભી અને બટુકભાઈ સોલંકી(કુમ કુમ સ્ટોર) જીઆઇડીસી એસોસિએશન મનીષભાઈ સોની વિગેરે હાજર રહ્યા હતા.
જેમાં કીર્તિભાઇ મહેતા (ઉત્તર ગુજરાત સહ મંત્રી ) અને મુકેશભાઈ ગોર (ઉત્તર ગુજરાત ગાંધીનગરના મંત્રી)ઉપસ્થિત રહી આ વિષયમાં ગહન ચર્ચા કરી વિગતે સમજૂતી કરી હતી. જેમાં મંગલાબા રૂ 2,50,011, જીઆઇડીસી એસોસિએશન તરફથી રૂ 710000, બોમ્બે ફેશન, રૂ 21000 તથા હરદેવસિંહ એન દાયમાં તરફ થી રૂ 11111 ઉપરાંત સુવિધા સ્ટોર ભૂપતસિંહ ડાભી તરફથી રૂ 11000 નિધિ જાહેર કરી ચેક અર્પણ કરાયા હતા. જેમાં ધોળકા અભિયાન પ્રમુખ સામંતસિંહ પઢીયાર, ધોળકા પ્રખંડ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, મંત્રી નિમેષભાઈ કા.પટેલ,રાષ્ટ્રીય સ્વયંસેવકના ભરતભાઈ વ્યાસ, મહેન્દ્રભાઈ પ્રજાપતિ, હરિભાઈ ભરવાડ, બી ડી પટેલ અને નગરના આગેવાનો હાજર રહ્યા હતા.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.