તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધંધુકા તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં કામ કરતા 113 શ્રમિકો ઉત્તરપ્રદેશના બદાયુ અને કાસગંજ જવા રવાના થયા છે. આ શ્રમિકોને 3 એસ.ટી. બસ દ્વારા વિરમમગામ રેલવે સ્ટેશન પહોંચાડવાની વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવાઇ છે. 3 બસો વિરમગામ જવા રવાના થઇ હતી. આ પ્રસંગે મામલતદાર ડી.આર. ધોરાજીયા, નાયબ મામલતદાર રામદેવસિંહ ચુડાસમા, ધંધુકા પીઆઇ યોગેન્દ્રસિંહ ગોહિલ અને અન્ય વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હેલ્થ ખાતા દ્વારા 113 શ્રમિકોનું હેલ્થ ચેકીંગ કરવામાં આવ્યું હતું. શ્રમિકોને માર્ગમાં જમવાની તકલીફ ન પડે તે માટે દરેક શ્રમિકને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. વિરમગામથી આ 113 શ્રમિકો શ્રમિક ટ્રેન દ્વારા યુ.પી. જવા રવાના થશે. તસવીર હર્ષદ દવે
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.