બાવળામાં બસ સ્ટેશન સામે આવેલા કાલુપુર સ્વામીનારાયણ તાબાનાં સ્વામીનારાયણ સંસ્કારધામનો પાટોત્સવ અધિક માસમાં ભક્તિમય વાતાવરણમાં ઉજવાઇ ગયો. આ પ્રસંગે સવારે મંદિરમાં બિરાજમાન રાધા-કૃષ્ણ દેવ, ઘનશ્યામ મહારાજ અને દેવોનો મંદિરનાં મહંત ભક્તિપોષણદાસજીએ શોડષોપચાર વિધિથી અભિષેક કરવામાં આવ્યો હતો. તેમજ મંદિરમાં બિરાજમાન દેવોને છપ્પન ભોગનો અન્નકુટ ધરાવાયો હતો.અને તેની મહાઆરતી કરવામાં આવી હતી. તસવીર ભરતસિંહ ઝાલા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.