તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ-વિદ્યાનગર રોડ સ્થિત કલકી રેસીડેન્સીમાં મનોજભાઈ પટેલ રહે છે. તેઓ મોગરી ગામ સ્થિત માધ્યમિક સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. સોમવારે રાત્રિના બાર કલાકે તેમનો પુત્ર હિમાંશુ દાદર પરથી ઉતરવા જતાં ઘરમાં પડી ગયો હતો. જેને માથાના પાછળના ભાગે ઈજા થતાં તે બેભાન થઈ ગયો હતો. આ બનાવને પગલે દંપત્તિ પુત્રને હોસ્પિટલમાં લઈ ગયું હતું. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે આણંદ ટાઉનના પીએસઆઈ કે.બી. રાતે જણાવ્યું હતું કે, યુવક છેલ્લાં ત્રણ વર્ષથી માનસિક અસ્વસ્થ હતો. તેની આણંદની એક ખાનગી હોસ્પિટમલાં દવા ચાલી રહી હતી. પરિવારજનોએ પોસ્ટમોર્ટમ સહિત અન્ય કોઈ કાર્યવાહી કરવાની ના પાડતાં પોલીસ દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરાઇ નથી.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.