એર ઈન્ડિયા કોવિડ-19ને લીધે 15 માર્ચથી 24 ઓગસ્ટ દરમિયાન કેન્સલ કરેલી ફ્લાઈટની ટિકિટ પર પેસેન્જરને નવી સુવિધા આપશે. એર ઈન્ડિયાએ સર્ક્યુલરમાં કહ્યું છે કે, યાત્રી ઈચ્છે તો કેન્સલ કરેલી ટિકિટ પર નવા પેસેન્જરનું નામ લખી શકે છે. ટિકિટ બુક કરાવનાર પેસેન્જરને બદલે અન્ય કોઈ વ્યક્તિ તેની જ ટિકિટ પર સફર કરી શકે છે. આ સુવિધા 15 માર્ચથી 24 ઓગસ્ટ દરમિયાન થયેલી કેન્સલ ફ્લાઈટ માટે જ છે. આની પહેલાં એરલાઈને કંપની તરફથી કોઈ પણ વધારાના ચાર્જ વગર ફ્લાઈટની તારીખ રિશેડ્યુલિંગ કરવાની પરવાનગી આપી હતી.
કંપનીના સર્ક્યુલર પ્રમાણે, લોકડાઉન દરમિયાન બુક કરેલી ટિકિટને પેસેન્જર રિ-ઈશ્યુ કરાવી શકે છે અને જો તેમને પ્રવાસ ન કરવો હોય તેમની બદલે અન્ય વ્યક્તિનું નામ આપી શકે છે.
કંપનીની સ્કીમની શરતો:
દેશમાં 23 માર્ચથી લોકડાઉન શરુ થયું હતું અને તે પછી ફ્લાઈટની અવર-જવર બંધ થઇ ગઈ. એર ઈન્ડિયાની કેન્સલ કરેલી ફ્લાઈટની ટિકિટોની કિંમત આશરે 500 કરોડ રૂપિયા છે, તેમાં 70-80 ટકા યાત્રીઓને રિફંડનો ઓપ્શન પણ આપ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.