બાળકોના વિચારમાં આવી રહેલા ચેન્જને જોઇને માતા-પિતાને ચિંતા થઈ રહી છે કે ક્યાંક બાળકો સંસ્કારોથી દૂર ના થઈ જાય. વડીલોનું સન્માન કરવું, તેમને નમસ્કાર કે ચરણસ્પર્શ કરવા એ ભારતીય સંસ્કારનો એક ભાગ છે. આ સંસ્કારોને સંભાળી રાખવા ઉત્તર પ્રદેશની સંસ્કાર પાઠશાળાએ એક નવી પહેલ શરુ કરી છે. લખનૌની સાથે ગ્રામ પંચાયતમાં પણ બાળકોને સંસ્કાર અમે સંસ્કૃતિનું શિક્ષણ આપવા માટે અલગથી સ્કૂલ ચાલુ કરવામાં આવશે. અંગ્રેજી અને સંસ્કૃત બોલતા શીખવાડવામાં આવશે. માતા-પિતા અને વડીલોને ચરણ સ્પર્શ અને ધરતીમાતાને પ્રણામ કરવા જેવા અન્ય સંસ્કારો પણ આપવામાં આવશે.
આ પહેલ હેઠળ 5 ધોરણ સુધીના બાળકોને શિક્ષણ આપવામાં આવશે. તેમને ભારતીય સંસ્કૃતિને નજીકથી જાણવાનો મોકો મળશે. સંસ્કૃતમાં શ્લોક શીખવાડવામાં આવશે. આ માટે તૈયારીઓ શરુ થઈ ગઈ છે. આ સંસ્કાર પાઠશાળામાં ગામના 10 ધોરણ પાસ વિદ્યાર્થીઓને પણ ભણાવવાની ટ્રેનિંગ આપવામાં આવશે. શિક્ષણ માટે કોઈ સ્કૂલ કે આંગણવાડીની જરૂર નહિ પડે પરંતુ મંદિર કે પંચાયતમાં બાળકોને ભણાવી શકાશે. સંસ્કાર પાઠશાળા 2 કલાક સુધી ચાલશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.