કડકડતી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. આ દરમિયાન અમુક રાજ્યમાં શાળાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તો અમુક રાજ્યોની શાળામાં રજા પાડી દેવામાં આવી છે.જો તમે પણ શીત લહેરથી બચવા માટે ઘરમાં હિટર, બ્લોઅન શરૂ કરીને નથી બેસી શકતા તો તમારે થોડીવાર બહાર તડકામાં બેસવું જોઇએ. જો તમને પણ કોઇ બીમારીના લક્ષણો જોવા મળેતો નજર અંદાજ કરવાની ભુલ ન કરો નહી તો તમારે જીવ ગુમાવવાનો વારો આવી શકે છે.
આજના અમારા એક્સપર્ટ છે ડો. પી વેંકટ કૃષ્ણન, જનરલ ફિઝિશિયન, આર્ટમિસ હોસ્પિટલ(ગુરુગ્રામ),ડો. બાલકૃષ્ણબ શ્રીવાસ્તવ, જનરલ ફિઝિશયન (ભોપાલ) અને ડો. હિમાંશુ રાય, ડાયટિશિયન (દિલ્હી)
આજે કામના સમાચારમાં જાણીશું કે, કડકડતી ઠંડીથી તમને શું નુકસાન થશે અને વૃધ્ધ અને બાળકોને કેવી રીતે બચાવી શકાય...
સવાલ - અચાનક જ કેમ વધવા લાગી છે ઠંડી?
જવાબ - ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગના જણાવ્યા અનુસાર, જ્યારે ઉત્તર ભારતમાં લઘુત્તમ તાપમાન 4.5 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવે છે અને એકંદર તાપમાન 10 ડિગ્રી કે તેથી ઓછું હોય છે, ત્યારે આ સ્થિતિને કોલ્ડ વેવ અથવા શીત લહેર કહેવામાં આવે છે.
હિમાલય અને લા નીનાના ઠંડા પવનને કારણે ઉત્તર ભારત હાલમાં કોલ્ડ વેવ છે. પેસિફિક મહાસાગરની સમુદ્ર સપાટીના તાપમાનમાં ફેરફાર લા નિનાનો સંદર્ભ આપે છે. લા નિના પેસિફિક મહાસાગરમાં ખલેલ પહોંચાડે છે અને સમુદ્રના ઠંડા પાણી સપાટી પર આવે છે. જેના કારણે ડિસેમ્બર 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી દેશમાં ઠંડી વધે છે.
સવાલ - મને ઠંડી લાગી ગઇ છે. તેની કેવી રીતે ખબર પડશે?
જવાબ - દરેક વ્યક્તિ માટે લક્ષણો અલગ-અલગ હોય છે. આ સામાન્ય લક્ષણો છે. જો તમને પણ આ પ્રકારના લક્ષણો જોવા મળે છે તો ડોકટરની સલાહ અચુક લો.
સવાલ- કોલ્ડ વેવને કારણે કઇ-કઇ બીમારીઓ થઇ શકે છે અથવા તો વધી શકે છે?
જવાબ-કોલ્ડ વેવને કારણે આ 5 બીમારી થઇ શકે છે...
ખરજવું- શિયાળામાં ત્વચા સંબંધિત કોઇ પણ સમસ્યાઓ સામાન્ય રહે છે. ખરજવું કોઈપણ ઉંમરે થઈ શકે છે. જેમાં, ત્વચા શુષ્ક, લાલ અને પપડીદાર થઇ જાય છે અને ખંજવાળ પણ આવે છે. જ્યારે તે ખૂબ ઠંડી હોય ત્યારે આ સમસ્યા વધે છે.
બચવા માટે કરો આ ઉપાય
સંધિવા- સંધિવાના દર્દીઓ માટે શિયાળાની ઋતું ખુબ જ મુશ્કેલ માનવામાં આવે છે. આ સમયે તેમના સાંધામાં દુખાવો અને સોજો વધે છે.
બચવા માટે કરો આ ઉપાય
હાર્ટની બીમારી- શિયાળામાં હાર્ટ બરાબર રીતે લોહીને પંપ નથી કરી શક્તું જેના કારણે હાર્ટ અટેકનું જોખમ વધી જાય છે.
બચવા માટે કરો આ ઉપાય
અસ્થમા--શિયાળામાં શ્વાસ નળીમાં સોજો વધી જાય છે. જેના કારણે શ્વાસ લેવાનો રસ્તો ટૂંકો થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જેના કારણે શરદી-ઉધરસની સમસ્યા રહે છે.
બચવા માટે કરો આ ઉપાય
ઉધરસ-શરદી- શિયાળામાં ઉધરસ-શરદીની સમસ્યા વધે છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
બચવા માટે કરો આ ઉપાય
સવાલ- કોલ્ડ વેવમાં કયા પ્રકારનું લિક્વિડ ડાયટ લેવું જોઈએ જેથી શરીર ગરમ રહે?
જવાબ- કોલ્ડ વેવથી બચવા માટે, યોગ્ય આહાર લેવો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
સવાલ- શિયાળામાં હાથ અને પગ હંમેશા ઠંડા કેમ હોય છે? તેનાથી બચવા માટે શું કરવું?
જવાબ- હાથ અને પગમાં લોહીનો ફ્લો ઘટે છે. અતિશય ઠંડીને કારણે હાથપગની નસો પણ સંકોચાય જાય છે. આ કારણોસર શિયાળામાં લોકોને ઘણીવાર હાથ અને પગ ઠંડા હોય છે. આ સામાન્ય છે અને ગભરાવાની જરૂર નથી. હાથ અને પગ ગરમ રાખવા માટે આ ટીપ્સને અનુસરો
સવાલ- આ સમયે નાના બાળકોનું કેવી રીતે ધ્યાન રાખવું જોઇએ?
જવાબ- શિયાળામાં નાના બાળકો અને વૃદ્ધોની સંભાળ રાખવાની સૌથી મહત્વની બાબત એ છે કે ઘરને ગરમ રાખવું. આ પાછળનું કારણ એ છે કે બાળકો અને વૃદ્ધો મોટાભાગનો સમય ઘરે વિતાવે છે.
આ રીતે ઘરને ગરમ રાખો…
શિયાળામાં નાના બાળકોની સંભાળ રાખવા માટે આ 10 ટીપ્સને અનુસરો…
ઠંડીમાં વૃદ્ધોની આ રીતે કાળજી લો…
સવાલ- કેટલાક લોકો ઠંડી આવતાની સાથે જ ગરમ પાણી પીવાનું શરૂ કરે છે, તેને પીવાની યોગ્ય રીત કઈ છે?
જવાબ- શિયાળામાં ગરમ પાણી પીવાથી બ્લડ સર્કયુલેશન સારૂ રહે છે. ગરમ પાણી પીવાથી છાતીમાં લાળ એકઠું થતું નથી અને પેટ પણ સ્વચ્છ રહે છે. જે સાંધામાં જડતાની સમસ્યાને દૂર કરે છે.
ગરમ પાણી પીવાની સાચી રીત
દિવસમાં ચાર ગ્લાસથી વધુ ગરમ પાણી ન પીવો. વધુ પડતું ગરમ પાણી આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે શિયાળામાં ઠંડુ પાણી પી શકતા નથી, તો તેને ગરમ પાણીથી પીવો.
સવાલ- શું આખો દિવસ ગરમ પાણી પીવાથી કોઈ નુકસાન થાય છે?
જવાબ- વધારે ગરમ પાણી પીવાથી નુકસાન થઈ શકે છે…
સવાલ- કોઈ કહે છે કે ગરમ પાણીથી સ્નાન કરો, કોઈ કહે છે કે ઠંડું પાણી દરેક સીઝનમાં બેસ્ટ માનવામાં આવે છે. શું કરવું?
જવાબ- ઠંડા પાણીથી સ્નાન કરવાના ફાયદા…
ગરમ પાણીથી સ્નાન કરવાના ફાયદા...
ગરમ પાણીથી સ્નાન કરવાથી સ્નાયુઓ આરામ મળે છે.
ગરમ પાણી શરીરનું તાપમાન સંતુલન જાળવે છે અને શરદીને અટકાવે છે.
ગરમ પાણીથી નાસ લેવાથી શરદીમાં ફાયદો થાય છે અને શ્વાસ લેવાનું સરળ બને છે.
બેમાંથી કયું સારું છે - આયુર્વેદ અનુસાર શારીરિક સ્વાસ્થ્ય માટે ગરમ પાણી વધુ સારું છે. ઠંડા પાણી માનસિક સ્વાસ્થ્ય માટે વધુ સારો વિકલ્પ છે.
સવાલ- કોલ્ડવેવથી મોત થઇ શકે છે?
જવાબ- હા. દર વર્ષે, કોલ્ડવેવને કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે. વધતી ઠંડી પહેલાથી બીમાર લોકોની જટિલતામાં વધારો કરે છે, જેનાથી મોત થઇ શકે છે. તો બીજી તરફ કોવિડ પછી હૃદય, શ્વાસ અને ફેફસાંને લગતા ઘણા રોગો છે જે શિયાળામાં જીવલેણ બની શકે છે.
ઠંડી સાથે સ્વસ્થ રહેવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી સારું ખાઓ, સારી ઊંઘ લો અને સ્વસ્થ રહો.
આ માટે, નીચે લખેલા ક્રિએટિવમાંથી ટીપ્સ વાંચો અને અન્ય લોકો સાથે પણ શેર કરો…
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.