થોડા દિવસ પહેલાં 66 વર્ષિય પૂર્વ ક્રિકેટર અરુણ લાલે 38 વર્ષની બુલબુલ સાહા સાથે લગ્ન કરી લીધાં હતાં. અરુણ અને બુલબુલ સાહાનાં લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે. આ લગ્ન અરુણની પહેલી પત્ની રીનાની મરજીથી કરવામાં આવ્યા છે. અરુણે પહેલી પત્ની રિના સાથે સંમતિથી છૂટાછેડા લીધા હતા. રિના બીમાર હોઈ હાલ અરુણ તેમની સાથે જ રહે છે.
આજના કામના સમાચારમાં એડવોકેટ ચીકીશા મોહંતી અને આદિત્ય કાલા પાસેથી જાણીએ કે પરસ્પર સહમતીથી છૂટાછેડા કેવી રીતે થાય છે? કાયદાકીય પ્રક્રિયા શું છે?
પરસ્પર સહમતિથી છૂટાછેડા લેવાનો શું મતલબ છે?
લગ્ન બાદ જયારે પતિ-પત્ની પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય કરે છે અને છૂટાછેડાની અરજી આપે છે, ત્યારે આ સ્થિતિને સહમતીથી છૂટાછેડા કહેવામાં આવે છે. હિંદુ મેરેજ એક્ટની કલમ 13 (b) પરસ્પર સંમતિથી છૂટાછેડાની પ્રક્રિયા સાથે કામ કરે છે.
સહમતીથી છૂટાછેડા કેવી રીતે લઇ શકાય છે?
સમગ્ર પ્રકિયા જાણીએ
બીજી અરજી માટે કોર્ટમાં આવવું પડે છે
આ નિયમનું પણ રાખો ધ્યાન
પરસ્પર સહમતીથી છૂટાછેડા થવાથી શું ફાયદો થાય છે?
પરસ્પર સહમતીથી છૂટાછેડા લેવાથી સમય અને પૈસા બંનેની બચત થાય છે. સહમતીથી છૂટાછેડામાં એ વાતની ચિંતા નથી હોતી કે, પાર્ટનર છૂટાછેડાના કાગળ પર સહી કરશે કે નહીં. પરસ્પર સહમતીથી છૂટાછેડામાં પ્રોપટી કે પૈસાની વધારે માગ કરી શકતા નથી.
છૂટાછેડા બાદ બાળકોની કસ્ટડી અને પ્રોપર્ટીનો નિર્ણય કેવી રીતે થાય છે?
જો પરસ્પર સહમતીથી છૂટાછેડા થાય છે તો બંને પક્ષોએ બાળકની કસ્ટડીનો મુદ્દો ઉકેલવો પડશે. માતાપિતા પૈકી એક અથવા બંને પરસ્પર સંમતિથી બાળકની કસ્ટડી મેળવી શકે છે. એટલે કે બાળક ક્યારેક પિતા સાથે તો ક્યારેક માતા સાથે રહી શકે છે. આ સ્થિતિમાં માતા અથવા પિતા બંનેમાંથી કોઈ પણ બાળક એક સાથે રહે તે માટે એકબીજા પર દાવો કરી શકતા નથી.
મિલકતનો મામલો પણ પરસ્પર સંમતિથી ઉકેલવો પડે છે. જો પત્ની તેના પતિ પર નિર્ભર હોય તો પતિએ ભરણપોષણ ચૂકવવું પડશે. જો જરૂર પડે તો પત્ની પણ કાયદાનો સહારો લઈ શકે છે.
શું છૂટાછેડા વગર બીજાં લગ્ન થઇ શકે?
બીજા લગ્ન માટે છૂટાછેડા લેવા જરૂરી છે. જો તમે છૂટાછેડાની પ્રક્રિયા વગર લગ્ન કરો છો તો આઇપીસી કલમ 494 હેઠળ ગુન્હો ગણવામાં આવે છે. આ માટે તમને 7 વર્ષની સજા પણ આપવામાં આવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.