તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાવાઈરસને લીધે સંક્રમિત દર્દીઓને કેવી રીતે વહેલી તકે સ્વસ્થ કરવા તે માટે જાતભાતના પ્રયોગો ચાલી રહ્યા છે. હવે વૈજ્ઞાનિકો હાર્ટ સેલ થેરપીનો રસ્તો અપનાવી રહ્યા છે. આ થેરપીમાં લેબમાં વિકસાવેલાં હાર્ટ કોશિકાઓને દર્દીના શરીરમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે. બેઝિક રિસર્ચ ઈન કાર્ડિયોલોજી નામની જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ થેરપી સામે આવી છે. આ થેરપીનો ઉપયોગ કોરોનાવાઈરસથી સંક્રમિત દર્દીઓના સોજાને ઓછાં કરવા માટે કરવામાં આવ્યો છે.
રિસર્ચ
હાર્ટ સેલ થેરપી
આ થેરપીને CAP-1002 પણ કહેવામાં આવે છે,જેમાં કાર્ડિયોડિરાઈવ્ડ સેલ્સ શરીરની રોગ પ્રતિકારક શક્તિ માટે ફાયદાકારક છે. આ સેલ્સ ઘણી બીમારીઓમાં દર્દીઓનાં શરીરનાં સોજાને ઓછો કરે છે. આ કોશિકાઓ વિશેષ પ્રકારના એક્સોસોમ્સને રિલીઝ કરે છે જે આખાં શરીરમાં ફરીને પોતાની અસર બતાવે છે.
મોટાં પ્રમાણમાં ટ્રાયલની તૈયારી
રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિક રાજ મક્કડના જણાવ્યા અનુસાર, રિસર્ચ ટીમ હવે મોટા પાયે આ થેરપીનું ટ્રાયલ કરવા માટે તૈયારી કરી રહી છે. ટ્રાયલમાં દર્દીઓને 2 ગ્રૂપમાં વહેંચવામાં આવશે. પ્રથમ ગ્રૂપના લોકોને આ થેરપી આપવામાં આવશે અને બીજા ગ્રૂપના લોકોને સામાન્ય સારવાર આપવામાં આવશે. બંને ગ્રૂપના લોકોનાં સ્વાસ્થ્યનું અવલોકન કરી થેરપી કેટલી સુરક્ષિત અને અસરકાર છે તે જાણી શકાશે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.