તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાના ગઢ ગણાતા વુહાનમાં દર્દીઓ પર કોરોનાની અસર ઓછી નથી થઈ રહી. ચેપ લાગ્યા બાદ અને રિકવરી થયાના 6 મહિના પછી પણ 76% દર્દીઓમાં હજી પણ લક્ષણો જોવાં મળી રહ્યાં છે. સ્ત્રીઓમાં તેના કિસ્સા વધુ છે.
લેન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, દર્દીઓમાં હજી પણ લોન્ગ કોવિડની અસર જોવા મળી રહી છે. આ દર્દીઓમાં થાક, નબળા સ્નાયુઓ, ઊંઘ ન આવવાની તકલીફ, બેચેની અને ડિપ્રેશન જેવાં લક્ષણો જોવાં મળી રહ્યાં છે. ચીનમાં નેશનલ સેન્ટર ફોર રેસ્પિરેટરી મેડિસિનના રિસર્ચર્સ દ્વારા આ રિસર્ચ કરવામાં આવ્યું હતું.
કોરોનાની અસર કેટલો સમય રહેશે તે શોધવું પડશે
રિસર્ચર બિન કાઓ કહે છે કે, રિકવરી પછી કોરોનાની અસર કેટલી લાંબા સમય સુધી રહે છે તે શોધી શકાય છે. અમે તેના પ્રારંભિક તબક્કે છીએ. ગંભીર કોરોનાના ચેપથી પીડાતા દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી પણ તેમની દેખરેખ રાખવી જરૂરી છે.
1,733 દર્દીઓ પર રિસર્ચ કરાયું
રિસર્ચર્સના જણાવ્યા અનુસાર, આ રિસર્ચ કોરોનામાંથી રિકવર થનારા 1,733 દર્દીઓ પર થઈ છે. આ તમામ દર્દીઓ વુહાનની જિનયિતાન હોસ્પિટલના છે, જેમને ગયા વર્ષે જાન્યુઆરીથી મે મહિના દરમિયાન રજા આપવામાં આવી હતી. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, 76% દર્દીઓમાં લક્ષણો છે. 63% થાક અને સ્નાયુઓની નબળાઇ નોંધાઈ હતી. તેમજ, 26% લોકોને અનિંદ્રાની સમસ્યા હતી.
લોન્ગ કોવિડ શું છે?
જો તમને લોન્ગ કોવિડ હોય તો શું કરવું?
બ્રિટિશ મેડિકલ જર્નલ સાથે સંકળાયેલા ડોક્ટર્સ અને એક્સપર્ટ્સનું કહેવું છે કે, જો તમે કોવિડ-19માંથી રિકવર નથી થઈ રહ્યા, જો તમારાં લક્ષણો સંપૂર્ણ રીતે જતા નથી રહ્યા અને ઇન્ફેક્શન નેગેટિવ આવ્યા બાદ પણ લક્ષણો વધતાં જોવા મળી રહ્યા હોય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.